Saturday, January 30, 2010

સાચાબોલી ગાય


ઊંચો એક ડુંગર હતો. ગામની સીમમાં ચરતી ગાયો ક્યારેક દુંગરની ખીણમાં ચાલી જતી. ત્યાં ચારો ચરતી અને જરણાંનું મીઠું પાણી પીતી. સાંજ પડ્યે ગોવાળ ધણને પાછું વાળી લાવતો. એક દિવસ એક ગાય પાછળ રહી ગઇ. સૂરજ ડૂબી ગયો હતો. અંધારું પડવા માંડ્યુ હતું. ગાયને થયુ, “ હું પણ કેવી! મારું વાછરડું બીચારું રાહ જોતું હશે!” ડોક લંબાવીને ગાય તો ઊભી પૂંછડીએ દોડી. ત્યાં ડુંગરની ખીણમાંથી છલંગ મારીને એક વાઘ ગાયની સામે આવીને ઊભો. ગાય થંભી ગઇ. વાઘ કહે, “ તને ખાઉં.” ગાય કહે,”ભાઇ, ઘેર મારું વાછરડું મારી વાટ જોતું હશે. તે બીચારું ભૂખ્યું થયું હશે.” વાઘ કહે,”મારું બચ્ચું પણ ભૂખ્યું થયું છે. એને માટે હું ખાવાનું શોધું છું. તું ઠીક લાગમાં આવી છે. હવે તને છોડું કે ?” ગાય કહે,”ભલે, પણ ભાઇ, હું ઘેર જઇ મારા વાછરડાને ધવરાવી આવું. પછી મારજે.” વાઘ કહે,” ખરી છે તું પણ! મને છેતરવો છે, કેમ? હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘ શાનો ?” ગાય કહે,” ભાઇ, તને તારું બચ્ચું વહાલું છે તેમ મને પણ મારું વાછરું વહાલું છે. એને ઘવરાવી આવું. એકવાર એનું મોઢું જોઇ આવું. વાછરડાને મળીને હમણાં પાછી આવીશ.
વાઘ જરા ઢીલો થયો.
તે કહે, "ભલે, તો જઇ આવ. પણ મોડું ન કરીશ, સમજી? " ગાય તો દોડતી હાંફતી ઘેર પહોંચી. વાછરડું દોડતુંક ને એને વળગી પડયું અને ધાવવા લાગ્યુંહ. પેટ ભરીને ધાવી રહયું એટલે ગાય એને ડિલ પર, કપાળ પર ને લમણા પર ચાટવા લાગી. વાછરડું તો માનું હેત જોઇને રાજી રાજી થઇ ગયું. ડોક ઊંચી કરીને એણે માની સામે જોયું. જુએ છે તો માની આંખાંમાંથી આંસુની ધારા ચાલી જતી હતી. વાછરું કહે, " મા મા રડે છે કેમ? "
ગાય કહે, " કહે કાંઇ નહિં, બેટા. " વાછરું કહે " ના પણ મને કહે. " ગાય કહે, " બેટા હું થોડીક મોડી આવી ને તારે એટલી વાર ભૂખ્યાા રહેવું પડયું. મને થયું, કોઇ વાર હું ન જ આવું તો તારી શી વલે થાય? "
વાછરું કહે, " પણ તું ન શું કામ આવે? તું તો આવે જ ને? મારા વગર તને બીજે ગમે જ નહિ. "
ગાય પાસે આવીને કહે,”ભાઇ, હવે મને મારી નાખ.” વાઘ તો ગળગળો થઇ ગયો,”બહેન, તું કેવી સાચાબોલી છે! મરવા માટે તે કોઇ આમ પાછું આવતું હશે? અને તું તો બચ્ચા સાથે આવી છે! તમને મારીને હું ક્યાં જાઉં? તારા જેવી સાચાબોલીને હેરાન કરી તે માતે મને તું માફ કરજે!” એમ કહી વાઘ તો છલંગ મારતો ચાલ્યો ગયો. ગાય વાછરડા સાથે ઘેર આવી.

સોનાનાં ઓજાર - પન્ના લાલ પટેલ


કાશી નગરીમાં એક મોચી રહેતો હતો,તે બJustify Fullહુ પ્રમાણિત હતો.. સંતોષી પણ એટલો જ . એક વાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યોઃ . મોચી ભગત ! મારા પગના પગરખાનુ શું પડે ?

મોચીએ કહયું મારી પાસે સીવેલાંદ તૈયાર નથી, મહારાજ. સાધુ કહે સીવી દોતો શું લો ?"

મોચીએ કહયું દોઠ રૂપિયો.' સાધુંને નવાઇ લાગી. બીજાઓએ બે રૂપિયા દેખાડયા હતા. પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યાન હતા. પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહયો.સાધુએ પૂછયું :" દોઠ તો કહેવાનો પણ લેવાના કેટલા પૈસા ?

મોચી સાધુ સામે જોઇ હસવા લાગ્યોૂ. તેણે કહયું જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઇચ્છા હોય તો બનાવુ.

સાધુએ કહયું અચ્છાો બનાવો, કયારે આપશો ?'

મોચી બોલ્યો પરમ દિવસે આજ વખતે.' સાધુ કહે, જરૂર હોં ! મારે પરમ દિવસે સાંજે જવુ છે, માટે ભૂલ ન થાય'. મોચી કહેઃ' કહે જાઓ કે ન જાઓ ! પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે '. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિસ્વાૂસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાંણ.આંટો માર્યો. મોચીને પૂછ્યું: 'મોચી બ હગત, કેટલે આવ્યું આપણું કામ?'

મોચીએ કહ્યું:'બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું' છતાંય સાધુને શાંતિ ન વળી, ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો: સઇની સવાર અને મોચીની સાંજ! લાવ ને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું:'મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ.' સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યો ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતાં. આ જોઇને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયો. તે સમજી ગયો: મોચી સચે સાચો ભક્ત છે. તે કદી જૂઠું બોલતો નથી.

સાધુએ તેને બે રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઇને ઊભો થયો. તેણે સાધુને કહ્યું:'જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચૂરણ લઇ આવું.' સાધુએ કહ્યું:' રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો.' મોચીએ કહ્યું: 'હું તમકુ પીતો નથી, મહારાજ.' 'તો આપણા તરફથી ખાસડાં સીવવા દોરી લાવજો.' 'ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે.' તે સામેની દુકાને પરચૂરણ લેવા ગયો. સાધુ તો મોચીની આ ભાવના જોઇને એના ઉપર ખૂબ જ ખુશ થયો. તેણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણિ કાઢ્યો. કોઇ જુએ નહિ એ રીતે મોચીનાં ઓજારોને પારસમણિ ઘસી દીધો. બધા ઓજાર સોનાનાં થઇ ગયાં. પછી મોચી સામે પગ ઉપાડ્યો. તેની પાસે બાકીના પૈસા લઇને બરોબાર ચાલતો થયો. દુકાન ઉપર આવી મોચીએ જોયું તો ઓજાર બધાં સોનાનાં, તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનુ છે. મોચીનો જીવ બળી ઊઠયો. તે નિસાસો નાખી બબડયો "અરે ભગવાન! હવે હું આ સોનાનાં ઓજારોથી કેવી રીતે કામ કરીશ, તેણે ઓજારો લઇને ઘરના ખૂણામાં નાંખ્યામ. પછી ઊંચે મૂકેલા ધસાયેલા ઓજાર ઉતારી વળી પાછો કામે વર્યો. હવે તેણે કાન પકટયો કોઇ દિવસ આ બેઠાખાઉ લોકોનો ભરોસો કરવો નહી.

બીચારાએ બાર મહિના મજૂરી કરી ત્યાહરે માંડ માંડ જવા ઓજાર વસાવી શકયો.
એક વાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો. ત્યાંઇ એના કાને કોઇકનો અવાજ પડયોઃ 'કેમ છો મોચી ભગત ?'

મોચીએ જોયું તો પેલોજ સાધુ હતો. તેણે સાધુને કહયું: 'ઓજાર બગાડી ગયા હતા એજ ને તમે, હા મહારાજ.' સાધુને નવાઇ લાગી એને તો હતું કે પોતાને ઓળખતાં જ મોચી ભગત પગે પડશે. માનપાન કરશે ને ઘણો ઘણો આભાર માનશે. પણ એના બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડયોઃ આ બીચારો સોનાને પિત્તશળ ધારી બેઠો છે. તેણે કહયું: 'મોચી ભગત, ઓજાર બગડયાં નથી, સોનાનાં બનાવ્યાં છે. કયાં છે એ ? નાખી તો નથી દીધાને ?'

'મને ખબર છે મહારાજ , સોનાનાં છે. પણ એ સોનું મેં મારા બાવડાંના બળથી મેં ઓછું મેળવ્યું છે. ?
આવું મફતનું સોનું શું કરવું છે.? એ પડયાં ખૂણામાં તમારે જોઇએ તો લઇ જાઓ! સાધુએ મોચીને શિખામણ આપતાં કહયું: 'મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો, બેઠાં બેઠાં ખાઓ અને લહેર ઉડાવો.' મોચીએ પૂછયું:' ભગવાને આ હાથ પગ આપ્યાો છે એને શું કરું, મહારાજ ?

સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહયો. મોચીએ કહયું: 'સાધુ મહારાજ ભગવાને હાથ-પગ કંઇ બેઠાં બઠાં ખાવા માટે નથી આપ્યાર. કામ કરવા આપ્યા છે. આવી શિખામણ બીજાકોઇને આપતા નહી, નહિ તો મારાં તો તમે ઓજાર બગાડયા પણ બીજાના તો અવતાર બગાડી આપશો. માણસ કઇ ઢોર નથી કે બેઠાં બેઠાં ખાય ને બીજાની કમાઇ ઉપર જીવે.' આ સાંભળી સાધુ ખૂબ શરમાઇ ગયો. નીચા મોંએ બોલ્યોઃર 'મોચી ભગત! સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ-પગ આપ્યાૂ છે. હવેથી હું પણ હાથે કમાઇને ખાઇશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ.

કીકીની દાબડી


એક હતી છોકરી. નામ એનું કીકી.
આ કીકી ખૂબ ખંતીલી. ચીવટ પણ એની બહુ ભારે.
કોઇ કામ હાથમાં લે તેને પુરું કરીને જંપે. કામમાં કદી આળસ ના કરેં કીકી ને કામ ખૂબ વહાલું. કામથી કદી કંટાળે પણ નહીં. એ કામને વળગેલી ને કામ એને વળગેલું. બસ, આખો દિવસ કામ, કામ ને કામ.
પણ આમાં એને એક મુસીબત નડે. ખૂબ કામ કરી કરીને થાકી જાય. થાક લાગે એટલે કામ થાય નહીં. કીકીનું મન તો કામમાં હોય પણ શરીર થાકે. ના છૂટકે તેને આરામ કરવો પડે. પણ કીકીને આરામ કરવો ન ગમે.
કીકીને થાય કે કામ કરતાં થાક જ ન લાગતો હોય તો કેવું સારું! તો પછી રાત ને દિવસ કામ જ કયાઁ કરું.
પણ એવું થાય કઇ રીતે? કીકી વિચારવા લાગી. ને તે વિચારતાં વિચારતાં જ ઊંઘી ગઇ.
થોડી વારે તેના કાન પાસે ઝાંઝરનો મધુર રણકાર સંભળાયો. પછી મંજુલ અવાજ આવ્યોવ. કીકી જાગી ને તેના માથાના વાળમાં કોઇનો કોમળ હાથ ફરવા લાગ્યોક.
કીકી તો સફાળી જાગી ગઇ. તે આંખો ચોળી જોવા લાગી. કીકીની સામે કોઇ ઊભું હતું. સુંદર મજાની આંખો હતી. સોનેરી વાળ હતા. ચહેરા પર મધુર િસ્મઊત રમતું હતું.
કીકીને નવાઇ લાગી. આ વળી કોણ હશે?
"કીકી મને ના ઓળખી? હું છું કામપરી. "
"કોણ? કામપરી? " કીકીએ પૂછયું. "હા, કામપરી તને કામ કરવું બહુ ગમે છે, કેમ? " કીકીએ હા પાડી.
"મને કામગરાં બાળકો બહુ ગમે છે. "
"પરીમા, પણ કામ કરતાં કરતાં હું થાકી જાઉં છું. એ મને નથી ગમતું. મને એવો કોઇ ઉપાય બતાવો ને કે જેથી મને થાક ના લાગે". કીકી બોલી.
"એટલા માટે તો હું આવી છું; આ દાબડી. " આમ કહી કામપરીએ કીકીને એક સરસ મજાની નાની દાબડી આપી. "આ શું કામ? "
"તે તું ખોલ. "
કીકીએ દાબડી ખોલી. અંદર એક સરસ મજાનું ફૂલ હતું, કોમળ પાંખડીઓવાળું ફૂલ, ગુલાબી રંગવાળું ફૂલ.
"કીકી, આ જાદુઇ ફૂલ છે. આ ફૂલ જે સૂધે તેને કદી થાક નમ લાગે. ઉંધ પણ ન સતાવે. તું રોજ ફૂલ સૂંધીશ તો ફૂલની જેમ હંમેશાં તાજીમાજી રહીશ. "
"પણ આ ફૂલ કરમાઇ જશે તો? " કીકીએ પૂછયું. "નહીં કરમાય. એ જેવું છે તેવું ને તેવું રહેશે. પણ એક વાત ધ્યા નમાં રાખજે. આ વાત કોઇને કહેતી નહીં. લે ત્યાૂરે, હું જાઉં .... "
"આવજો પરીમા. તમારો ખૂબ ખૂબ આભાર. " કીકીએ બેઉ હાથ ઉંચા કરીને પરીને વિદાય આપી. પરી ગઇ ને તરત જ કીકીની આંખ ઉધડી ગઇ. કીકીના ઓશીકા પાસે દાબડી પડી હતી. કીકીએ તે જોઇ. જોઇને તે ખુશ થઇ. ખુશ થઇને ખોલી. અંદર સુંદર મજાનું ફૂલ હતું. કીકીએ ફૂલ સૂંધ્યુંક. આહાહાહા શી એની સુગંધ નાક આખું સુગંધ થી ભરાઇ ગયું. ઉંધ ઉડી ગઇ. નવી તાજગી લાગી. ખૂબ ઉંધીને ઉઠયા હોઇએ તેટલી તાજગી વતાવા લાગી.
કીકી ખુશ થઇ. તેણે દાકડી સાચવીને ફોક ના ગજવામાં મૂકી દીધી. કીકી ફરી કામમાં લાગી ગઇ. બસ, પછી તો કીકી કદી થાકતી નહીં. થાક લાગે કે તરત દાબડી કાઢે. ફૂલ સૂંધે ને
ફરી પાછી તાજી ને તાજી
કીકીને સતત કામ કરતી જોઇને તેનસ મમ્મીતને ચિંતા થઇ: " અરેરેરે આ છોકરી કામ કરી કરીને મરી જશે. આરામ નહીં કરે તો શરીર ધસાઇ જશે. "
મમ્મીર કહે: "કીકી રાત પડી ગઇ. તું હવે સૂઇ જા. " એટલે કીકી કહે : "મમ્મીી, મારે હવે ઉંધવાની જરુર નથી. " મમ્મીકને નવાઇ લાગી : "એમ કેમ? " "બસ એમ જ. " કીકીએ વાત ગોપાવી રાખી. કારણ? પરીએ ના કહી ને એટલે.
મમ્મીસને થયું કે ઊંધશે નહીં તો ગાંડી થઇ જશે. પણ કીકી ઊંધી જ નહીં. સવારમાં તેની મમ્મીજ જાગી ત્યાશરે પણ કીકી તો જાગતી જ હતી. તે ચિતોમાં રંગ પૂરતી હતી.
આમ ને આમ ચાર- પાંચ દિવસ ચાલ્યા કયુ . મમ્મી ને થયું "આ છોકરીનું મગજ ગાંડું થઇ ગયું લાગે છે. લાવ, દાકતરને બતાવવા લઇ જવા દે. "
મમ્મીે કીકીને ડ ાકતર પાસે લઇ ગઇ. ડાકતરે કીકીને તપાસીને કહયું : "કીકી તદન સાજી છે. તેને કાંઇ જ થયું નથી. " કીકી હસી. મમ્મીક નવાઇ પામી.
એકવાર મમ્‍ીએ કીકીને પાસે બેસાડીને પેમથી પૂછયું, "બેટા, તું આરામ નથી કરતી તેથી મને ચિંતા થાય છે. " "એમાં ચિતા કેવી, મમ્મીન? " "પણ બેટા, આરામ તો શરીર માટે ખૂબ જ જરુરી છે.! "
"એ કઇ રીતે, મમ્મીત! "
"આરામ કરવાથી શરીરમાં તાજગી આવે છે. ને તે પછી આપણે આપણું કામ ધણાં ઉત્સારહથી કરી શકીએ છીએ. "
"પણ મમ્મીસ, શરીરમાં તાજગી લાવવાનો ઉપાય મને મળી ગયો છે". કીકીથી અતિ ઉત્સાણહમાં બોલી જવાયું.
"કયો ઉપાય? " મમ્મી એ પૂછયું. હવે કીકી ફસાઇ ગઇ. સાચું કહેવું કે ખોટું? જો સાચું કહે તો પરીમાને આપેલું વચન તૂટે. ને મમ્મીી આગળ ખોટું તો ન જ બોલાય.
પણ કીકીએ વાત હસવામાં ઉડાવી દીધી. તે હસીને બોલી: "મમ્મી તું ચિંતા ના કર. હવેથી હું આરામ કરીશ. બસ હવે? "
કીકી રમવા દોડી ગઇ, પણ મમ્મીવને કીકીની વાતમાં વિશ્વાાસ પડયો નહીં.
મમ્મીરએ કીકીથી છાનામાના તેની દેખરેખ રાખવા માંડી. કીકી કયારે શું કરે છે તે છાનાંછપનાં જોવા લાગી.
એક વાર કીકી એકલી બેઠી હતી. એટલામાં થાકને લીધે તેને બગાસું આવ્યુંં. તરત જ કીકીએ ગજવામાં હાય નાખ્યોા. દાબડી બહાર કાઢી સૂધી. ગજવામાં મૂકી. સૂધતાં જ કીકીનો થાક ચાલ્યોા ગયો. કીકી હળવીફૂલ થઇ ગઇ. તેનો ચહેરો તાજગીથી ખીલી ઉઠયો.
કીકીનું આ વતા તેની મમ્મીય જોઇ ગઇ. કીકીની તાજગી પેલી દાબડીમાં છે તે વાત મમ્મીુને સ મજાઇ ગઇ. સવારે કીકી કપડાં બહાર કાઢીને બાથરુમમાં નાહવા ગઇ. મમ્મીપએ તેના ફોક માંથી દાબડી કાઢી લીધી. ખોલી. અંદર એક ફૂલ હતું. તાજું ને મઘમઘતું ફૂલ. મમ્મીંએ તે ફૂલ બારીબહાર ફેંકી દીધું. ફૂલ પથ્થાર પર અથડાયું. ફૂલની પાંખડીઓ છૂટી પડી ગઇ. તેની સુવાસ ચો તરફ ફેલાઇ ગઇ. એ સુવાસથી બાગના છોડ પરનાં ફૂલો ખીલી ઊઠયા. પંખીઓના કંઠ ગહેકી ઊઠયા. ચારે તરફ કલશોર વ્યાાપી ગયો. પવન પણ સુગંધિત થઇ વહેવા લાગ્યોગ. ચારે તરફનું વાતાવરણ તાજુંમાજું થઇ ગયું. કીકી સ્ના્ન કરીને બહાર આીવ કપડાં બદલ્યાં . ફોકના ગજવામાં હાથ નાખ્યોા. દાબડી ન હતી. કીકી ચમકી. દાબડી કયાં ગઇ? કીકીએ મમ્મીા સામે જોયું. મમ્મીસએ હસતાં હસતાં બોલી: "તારી દાબડી મેં ફેંકી દીધી. " "કયાં? "
"બારીની બહાર. "
કીકીએ બારીની બહાર જોયું. બારી બહાર બાગ મહેંકી રહયો હતો. સુગંધિત પવન વાતો હતો. પંખીઓના કલરવમાં તાજગી વતાવી હતી. આ જોઇ કીકી ખુશ થઇ. તે બોલી: "મમ્મીર, દાબડીનો જાદુ તો જો". મમ્મી એ હજી બારી બહાર જાયું ન હતું. કીકીના કહેવાથી તેણે બહાર નજર કરી. બહારનું વાતાવરણ જોઇ મમ્મીબ ખુશ થઇ.
"મમ્મીા, તેં દાબડી ફેંકી દીધી તે સારું કયુ. પહેલા તો હું જ એકલી તાજીમાજી થતી હતી. પણ હવે તો આ બાગ, પંખીઓ ને પવન બધુંજ તાજુંમાજું થઇ ગયું. ને આ તાજગી જોઇને હવે ઘણાંબઘાં તાજાંમાજાં થશે ને ખુશ થશે. ’ કીકીને મમ્મીાએ ખોળામાં લીધી. તેનાં ગાલે ચૂમીઓ ભરતાં તે બોલી: "મારી વહાલી કીકી કેટલી સમજુ છે

ભલાઇનો બદલો


કાશીપુરા નામે એક ગામ હતું.
એ ગામમાં એક દિવસ લાકડાના પગવાળો એક સિપાહી ગયો. એ બિચારા સિપાહીનો એક પગ લડાઇમાં કપાઇ ગયો. ગામમાં પેસતાં બરાબર જ એ માંદો થઇ ગયો. એ ખૂબ ગરીબ હતો. ખાવા માટે પણ પાસે પૈસા ન હતા.
આથી ગામના સીમાડે આવેલા એક મુસાફરખાનામાં એ ગયો. એને ખૂબ તાવ ચડેલો હતો. આખું શરીર લોઢાની માફક ધખતું હતું. મુસાફરખાનાની નજીકથી નાનકડી તિલા રમતી રમતી જતી હતી. લાકડાના પગવાળા સિપાહીની આવી ખરાબ દશા જોઇ, એને ખૂબ દયા આવી.
તિલા એલ ગરીબ માણસની દીકરી હતી. એનો બાપ વાંસડાની ચીપોની ટોપલીઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગરીબ હોવા છતાં તિલાનું મન ગરીબ ન હતું. રોજ તિલા એ ગરીબ સિપાહીની ખબર કાઢવા મુસાફરખાનામાં આવવા લાગી.
દરરોજ એ એક આનો પોતાની સાથે લાવતી અને પેલા સિપાહીને આપતી. સિપાહીએ બે-ચાર દિવસ સુધી તો તિલાએ આપેલો આનો લીધો.
પણ એક દિવસે, મુસાફરખાનાના રખેવાળે તિલાનાં માતા-પિતા ખૂબ ગરીબ છે, એવું જણાવી દીધું. આથી બીજે દિવસે તિલા જેવી પેલા સિપાહીના હાથમાં આનો મૂકવા ગઇ કે તરત જ, પેલા સાચાબોલા સિપાહીએ આનો લેવાની ના પાડી.
એ કહે: ‘દીકરી! મારા માટે તને આટલી બધી દયા આવે છે, એ જોઇને મને ખૂબ આનંદ થાય છે. ભગવાન તારું ભલું કરશે. પણ બહેન! તમે લોકો આટલાં ગરીબ છો અને હું તમારા થોડા પૈસામાંથી પણ એક આનો રોજ લઉં, એ તો સારું ન કહેવાય! હું ભગવાનના ઘરનો ગુનેગાર ગણાઉં. મારા પેટ માટે તમારા પેટ પર ઉપર પગ ન મુકાય. એવું કરવા કરતાં તો મારે ભૂખે મરી જવું વધુ સારું!’
તિલા હસતાં હસતાં કહેવા લાગી : ‘સિપાહીકાકા! એની તમે જરા પણ ચિંતા ન કરશો. હું જે આનો તમને રોજ આપું છું, તે મારે ઘેરથી નથી લાવતી. હું આ ગામથી થોડે દૂર આવેલી નિશાળમાં ભણું છું. એ ગામમાં જવા માટે એક ગીચ ઝાડીમાંથી પસાર થવું પડે છે. એ ઝાડીમાં જાંબુડાંનાં ઝાડ છે. આ મોસમ જાંબુડાંની છે. ઝાડ નીચે ખૂબ બધાં જાંબુડાં ખરેલાં હોય છે.
‘એ બધાં જાંબુડાં હું ભેગાં કરું છું. મારી નિશાળ જે ગામમાં આવેલી છે, તે ગામની બજારમાં જઇને એ વેચી નાખું છું. એમાંથી મને રોજ એક-બે આના મળે છે. આમ મારી જાતમહેનતથી તમારે માટે પૈસા લાઉં છું. માટે તમે જરા પણ મનમાં લાવશો નહીં.’
સિપાહી કહે : ‘એ ખરું! પણ તારે એ પૈસા તારાં મા-બાપને આપવા જોઇએ.’
તિલા અધવચ્ચે જ બોલી ઊઠી : ‘સિપાહીકાકા! મેં મારાં માતા-પિતાને હું રોજ આ રીતે કમાઉં છું, એમ કહેલું છે જ. એમના કહેવાથી જ હું તમને રોજ આ રીતે એક આનો આપું છું. અમે ગરીબ છીએ; પણ બીજાનું દુ:ખ અમે સમજી શકીએ છીએ. તમે માંદા હતા. તમારામાં તાકાત ન હતી. તમે કશું ખાધું ન હતું એટલે મેં તમને આ રીતે મદદ કરી હતી. તમારે આથી જરા પણ ખોટું લગાડવું ન જોઇએ. ઊલટું, તમે મારો આનો નહીં લો તો મને ખૂબ માઠું લાગશે.’
સિપાહી ગળગળો થઇ ગયો. એની આંખમાં ઝળઝળિયાં ઊભરાયાં. એની રૂપેરી દાઢી ઉપર થઇ આંસુ સરકતાં હતાં.
તિલાની પોતાને માટેની મમતા અને લાગણી જોઇ એ ગળગળો બની ગયો.
તિલાના માથે હાથ ફેરવતાં ફેરવતાં એણે ભગવાનને વિનંતી કરી કે, ‘હે ભગવાન!
આ નાનકડી બાલિકાનું તું હરહંમેશ ભલું કરજે એને એની ભલાઇનો તું જરૂર બદલો આપજે.’
થોડા દિવસ બાદ, એક દમામદાર મોટર એ ગામમાં આવી પહોંચી. પેલા મુસાફરખાન પાસે પાણી લેવાને માટે એ થોભી હતી. મોટરનો માલિક બહાર લટાર મારતો હતો. એ ખૂબ ઘરડો, પણ તાકાતવાન જણતો હતો. એનાં કપડાં સિપાહીઓના મોટા અમલદાર જેવાં દેખાતાં હતાં.
મુસાફરખાનાના રખેવાળે આ અમલદારને પેલા માંદા ગરીબ સૈનિકની વાત જણાવી. અમલદાર એ સિપાહીને જોવા મુસાફરખાનામાં ગયો.
પેલા સિપાહીએ બધી વાત જણાવી. તિલાએ કેવી રીતે મહેનત કરી, જાંબુ વેચી, પોતાને મદદ કરી છે, એ બધી વાત તેણીએ જણાવી.
પેલો અમલદાર નાનકડી તિલાની ભલમનસાઇ, દયા અને મમતા જોઇ ખુશ થઇ ગયો. એણે પેલા સિપાહીને ઓળખી કાઢ્યો. જે લડાઇમાં એ સેનાનો ઉપરી હતો, એ સેનામાં જ પેલો લાકડાના પગવાળો સિપાહી નોકરી કરતો હતો. લડાઇમાં એણે ભારે નામના મેળવીહતી. લડતાં લડતાં એનો પગ કપાઇ ગયો હતો, એ વાત પણ એને સાંભરી આવી.
એણે ખૂબ બધા રૂપિયા પેલા સિપાહીને આપી, પોતાની મોટરને તિલાના ઘર તરફ લેવડાવી.
તિલાને ઘેર જઇને એણે પાંચસો રૂપિયા ભરેલી એક થેલી તિલાના હાથમાં આપી.
તિલાએ અને એનાં માતા-પિતાએ એ લેવાની ખૂબ ના પાડી; અમલદાર એકનો બે ન થયો. એણે તિલાંને ખૂબ શાબાશી આપી, અને જે નિશાળમાં તિલા ભણતી હતી, એ નિશાળમાં એના ભણવાની કોઇ ફી જ ન લે, એવી ગોઠવણ પણ એણે કરી. તિલાની ભલાઇનો બદલો એને આમ પૂરેપૂરો મળી ગયો. માટે જ કહેવત છે કે, ‘કર ભલા સબકા ભલા, તેરા ભલા હો જાયેગા!’

ડોસાએ ગામ બચાવ્યુ


જાપાન દેશની આ વાત છે.
દરિયા કિનારે એક નાનો ડુંગર હતો. ડુંગર પર ખેડૂતોનું એક ગામ હતું. દરિયાની બીજુ બાજુ તળેટીમાં એમનાં ખેતર હતાં. સવારે વહેલા ઊઠી લોકો ડુંગર ઊતરી ખેતરના કામે મંડી જતા. ને સાંજ ૫ડયે પાછા ઘેર આવતાં. નાનાંમોટાં સૌ કામ પર જાય. માંદુ હોય તે જ ઘેર રહે.
એક દિવસ બધાં કામે ગયાં હતાં. એક ડોસાને બે ત્રણ દિવસથી તાવ આવતો હતો. એક દહાડો તો એ તાવવાળો પણ ગયો.પણ બીજે દિવસે તાવ બહુ જોરમાં આવ્યોી. બધાં એને સમજાવવા મંડયાં કે તાવમાં કામ કરવું સારું નહીં. પણ ડોસાને તો કામ વિના ચેન ૫ડે નહિં. એ કદી માંદો પડતો નહીં. માંદા પડવાની એને શરમ આવતી હતી. ન છૂટકે એને ઘેર રહેવું પડયું.
ડોસો ખાટલામાં ૫ડયો હતો. ત્યાં એની નજર એકાએક દરિયા ઉપર પડી જુએ છે તો એક મોટું મોજું કિનારા તરફ ધસી આવે છે. આ જાતનાં મોંજાંનો ડોસાને અનુભવ હતો. દરિયો ગાંડો બનવાની આ રીતે શરૂઆત થતી. અડધાપોણાં કલાકમાં તો આવાં અનેક ખેતરો, ૫શુઓ તેમ જ માણસોને ડુબાડી દે. એટલે લોકો ડુંગર ૫ર ગામ બાંધીને રહેતા. ૫ણ ખેતી તો નીચે તળેટીમાં જ કરવી ૫ડે ને! દરિયામાં આવાં તોફાન આવે ત્યાતરે ડુંગરની બીજી બાજુના ખેતરમાં કામ કરતા લોકો ઘણી વખત ડૂબી જતા. આથી આવું મોજું જોતા ડોસો ધ્રુજી ઉઠયો. એનામાં જોર ન હતું. નીચે દોડી જઇ લોકોને ખબર આપવા જેટલો વખત ન હતો. બૂમ પડે તો સંભળાય તેમ ન હતું. હવે શું થાય? અડધા કલાકમાં તો મોજાં ડુંગરને ઘેરી વળશે ગામના બધા તણાઇ જશે એ સૌને કેમ બચાવવાં ?
વિચાર કરવા જેટલો પણ વખત ન હતો. ડોસાએ ઘરમાંથી ઘાસતેલનો ડબો ખેંચી કાઢયો. પોતાના ઘર ૫ર ઘાસતેલ છાંટી એણે દીવાસળી ચાંપી જોતજોતામાં ઘર સળગી ઉઠયુ. પવન જોરથી વાતો હતો, એટલે આગના ભડકા ચારે બાજુએ ફેલાવા માંડયા. તળેટીમાં બૂમાબૂમ થઇ ગઇ. આગ! આગ! એવા પડઘા ડુંગરની ખીણમાં ગાજી ઉઠયા. સૌ પોતપોતાના કામ ૫ડતાં મૂકી, મૂઠીવાળી આગ બુઝાવવા દોડયાં. બધા લોકો ડુંગર ૫ર પહોચ્યાંક ન પહોચ્યાંા ત્યાંા તો ઘુઘવાટા કરતું એક જબરદસ્ત મોજું ડુંગર નીચે અફળાયું. તળેટીનાં બધાં ખેતર ડૂબી ગયાં.
ગામનું એક ૫ણ માણસ એ તોફાનમાં તણાઇ ન ગયું. સૌ કોઇ બચી ગયાં. ડોસાનું ઘર તો બળીને ખાખ થઇ ગયું, પણ ગામ આખું બચી ગયું. ડોસાના આનંદનો પર ન રહયો!

Foundations of Programmes of Teacher Education - KIREET JOSHI

Introduction
I

The children of today are different in the sense that they are:

a) Future-oriented;

b) They tend to be more and more comprehensive, global and universal;

c) They attach a great value to the virtues of friendship and commitment to the relations that are rooted in impartiality, team spirit and freedom from rigidities of conventions, dogmas and all the conflicts of ideologies that prevent free inquiry leading up to discoveries and inventions that will sub-serve the ideals of mutuality and harmony;

d) Their boundaries tend to be crossed by travels and fresh experiences, and

e) They insist on integrality between profession and practices; they are natural critics of pretence and preaching, and they appreciate achievements and realizations.

The teachers of today and tomorrow have to be different; their roles have to be more stringent and multisided, devoted to the development of integral personality, wide visions of the future of nationalism and internationalism, and capable to fulfill the role of the teacher as exemplar, as a friend, philosopher and guide, as a scientist, psychologist, artist and technologist, and above all, an ideal communicator who can spread uplifting influence by process of awakening and inspiration and contagious enthusiasm.

Teachers of today and tomorrow need to have new programmes of training, which will take care of new roles of the teachers and new trends of the synthesis of East and the West, and as agents of change from old to the new.

II
An increasing number of leaders of thought and action have begun to inquire deeply into the maladies of our times and it is increasingly realized that these maladies are results of a disequilibrium between the ideals that mankind has been labouring to formulate during the recent centuries and the disconcerting actualities which refuse obstinately to change. With the passing of every decade, we seem to be coming nearer to a point where the realisation of the ideals will become imperative and where, at the same time, it will seem impossible to accomplish this realisation. In other words, we seem to be hading to an acute crisis.

A huge structure is being built up with an increasing insistence on efficiency needed for industrialized society, leaving practically no room for the growth of profounder human and spiritual consciousness which alone can rightly and wisely guide human volition in taking decisions in the critical times that seem to lie ahead of us. While under the pressure of the technological development, the world is shrinking, and we are dreaming of the possibility of a planetary civilization, we have not yet the required corresponding psychological development which can enable the human consciousness to sustain such a planetary civilization. On the contrary, there is a growing preponderance of those impulses which can thrive only through ignorance, fragmentation, discord and violence.

As we study the situation, we feel convinced that it is a vain chimera to believe that the world can be changed without a radical change in the human consciousness. It seems, therefore, right and just that the wisest leaders of today have declared unambiguously that the future of the human race is dependent exclusively upon a radical transformation of human consciousness and that one of the most important means of effecting this transformation is an integral and value-oriented education.

Happily during the first decades of the 20th century, some of the greatest educationists of India devoted their life-time to the actualization of the needed new educational system. The fruits of their pioneering experiments are available to us, even though they have not been sufficiently acknowledged or appreciated.

All these initiatives and experiments have been bold and great and inspiring, and all of them are still at various stages of growth and development; great lessons have to be learnt from these experiments, and we have here a great fund of educational research that can guide us in the tasks of value-oriented education and of the entire transformation of our educational system. Value-orientation should be the central focus of education and teachers should be given the necessary training in the effective methods of development of values among students and teachers.

(to be continued….)

An Announcement

Children’s University proposes to launch upon a Research Project centered on developing Foundations for new programmes of Teacher Education.
The reason for initiating this Research Programme is that children of today are, as is universally acknowledged, quite different, and they need to be looked upon, cherished and encouraged in ways that are new and suitable to the novel traits that they are gifted with. Hence, there is urgent need to develop new programmes for Teacher Education. We need new kind of teacher.
In this connection, we have requested Professor Kireet Joshi to furnish to this website lead papers. He has given his consent, and we are bringing out the first lead paper in this issue (27th Jan. 2010) of our website.
We are requesting educationists, teachers, and philosophers in Universities, colleges and learned institutions to participate in this Research Project, and we shall welcome research papers on this important theme. Lead Papers are meant to stimulate fresh reflections, discussions, enlargement and follow-up papers. Hence, comments, suggestions, and new articles on the Lead Papers are welcome.

Prerna Mohite
Chief Consultant
Children’s University

Joy of Science

Many summers ago, as a young fifteen year old student of the Advanced level (A-Level) of the University of London, I recall the practical test that we had. A few weeks before the exam, we were given to understand that our practicals would be on a topic related to ‘coupled pendulums’. “What on earth is that?!” One wondered and went about trying to understand what it meant and read up what ever was available at the library in the small town of Kaduna in Nigeria, where I was living with my parents. Finally, the day arrived. We were given the required materials which included some wires, bobs of different weights, a stop watch and a clamp stand and so on. A paper clearly describing what we were to do with the material was given in very simple language and it was nice and fun to actually go about setting up the experiment and take the readings carefully with a great deal of accuracy and care. The findings were required to be analyzed in the form of a table and a graph, which was also clearly explained. Based on these, one had to discover the relationships between time periods and length of the pendulums and also find ways in which these could be used in daily life. Unlike many of the “experiments” that one had hitherto done at school, this experience taught me what the joy of observation, joy of discovery and the joy of innovating, which form the “Joy of Science” really meant.
This entire experience had teased my brain, given it a puzzle and some issues to think and question, which one had to come to grapple, slowly figure out and understand. Most importantly, this had to be done in a spirit of the quest of truth, keeping one’s mind open to all possibilities that the experiment could lead, including the “breaking’ of the wire at a point, which actually happened …and momentarily upset me! However, on taking stock of the situation, one immediately realized that the purpose of the experiment was to observe and record the truth as it presented itself without any coloring or cooking!! I got very good results in the exam but that experience gave me something far more important, indeed, for life. The experience of the practical exam was something I tremendously enjoyed and cherish to this day.
As I now look back at that moment of truth in my life, many years later, as I am settled in a vocation as an administrator, the importance of that learning becomes even more evident. All inquiry is to be scientific; such an inquiry is marked by precision in regard to details, microscopic scruple in regards to accuracy, adherence to the search for truth for the sake of truth and arrival at a conclusion only on the basis of evidence, which is then interpreted in terms of Universality, consistency and comprehensiveness. Experience and experimentality are the heart of scientific inquiry, which should be an integral part of us, no matter which profession or journey life takes us on.
There are three Joys of Science: the Joy of Observation, as a result of which one aims at concrete tangibility of the objects of experience. Joy of Discovery is the spirit of Science- discovery of the unknown, discovery of the larger contents and discovery of the law. The third is the Joy of Creation, which results in the application of the discovery and results in creating new devices and innovations.
Let us, therefore, pursue these all the time.

Mrs. Jayanti S. Ravi

અગ્રલેખ - બાળકો અને શિક્ષકો

આજનાં આપણાં બાળકો ખરેખર ભિન્ન છે,- ઘણી રીતે આપણાં કરતાં ચડિયાતાં છે. એટલે જ તો ઘણીવખત આપણે તેમને સમજવામાં ભૂલ કરી બેસીએ છીએ. શિક્ષકો પણ તેમની ગેરસમજૂતીને કારણે સાચું, સારી રીતે અને યોગ્યર સમયે જે માર્ગદર્શન આપવું જોઇએ તે આપી શકતા નથી. આજનાં બાળકો ભવિષ્યં-પરક છે. આપણો આખો યુગ ભવિષ્યી તરફ જઇ રહયો છે, અને એ યુગની આંતરિક ધારા આપણાં બાળકો વધારે ઝડપથી પકડી શકે છે, એટલે આપણે એમને ખૂબ આગળ દોડતાં જોઈ શકીએ, જો – આપણે પોતે જ વધારે ને વધારે ભવિષ્યપરક થઈ શકીએ, તો. બીજું આપણાં બાળકો વધારે અને વધારે સર્વગ્રાહી થઈ રહયા છે, વધારે ને વધારે સામગ્રિક અને વૈશ્વિક થઈ રહયાં છે. આ ઉપરાંત, આપણે જાણીએ છીએ કે આપણાં બાળકો મૈત્રીના સદગુણને વધારે મહત્વ્ આપે છે. આજ્ઞાંકિત ઓછાં હોય, પરંતુ મિત્રો માટે સહકારની ભાવનાના અધિકારોને અનુરૂપ કર્તવ્યો તરફ વધારે વફાદારી દર્શાવે છે. જે માતા-પિતાની આજ્ઞાથી ન થઈ શકે તે મૈત્રીના અધિકારને માન આપીને થઈ શકે છે. નિઃશંકપણે, આજનાં બાળકો કૌટુંબિક અને સામાજિક સંજોગોને વધારે નિષ્પરક્ષપાત દ્રષ્ટિણથી જોઈ શકે છે, અને જડ રીતિરિવાજોને અને પક્ષપાતી વિચારધારાઓના કલેશ તરફ અત્યંત અણગમો પ્રદર્શિત કરે છે. આજનાં બાળકો વિજ્ઞાનની વિજયકૂચ આશ્ચ ર્યવત્ જોઈ રહયાં છે, અને નવી નવી શોધખોળો આપણે કરી શકીએ તેની તત્પૂરતા તેમનાં અંતર હૃદયમાં રમી રહી છે. આજના માતા-પિતા, આજના વાલીઓ અને આજના શિક્ષકોને જે ખરેખરી મુશ્કેાલી પડે છે તે આ સંદર્ભમાં પડતી હોય તેમ લાગે છે. આજનાં બાળકોનાં મનમાં એક પ્રશ્નળ રમતો હોય છેઃ ‘‘આમાં નવું શું છે?‘‘ અને આપણે આ પ્રશ્નમનો જવાબ આપી શકતા નથી. ભવિષ્ય ના દિવસોમાં આ પ્રશ્નખ વધારે ને વધારે ઉત્કમટ બનવાનો છે. અને આ સંદર્ભમાં ચિલ્ડ્રન્સા યુનિવર્સિટીની જે એક અનન્યા સેવા આપવાની રહેશે તે આ છે કે આ યુનિવર્સિટી ધ્વાચરા આજના માતા-પિતાને, આજના વાલીઓને અને આજના શિક્ષકોને એ જાતની ક્ષમતા વિષે માર્ગદર્શન આપી શકીએ કે જેથી બાળકો સમક્ષ નવી નવી ક્ષિતિજો ઉઘડતી રહે, નવી નવી વાર્તાઓ મળતી રહે, નવી નવી આશાઓ બંધાતી રહે, નવાં નવાં સ્વરપ્નોા ઘેરાતાં રહે, અને નવી નવી સિધ્ધિ ઓ જોવાઈ રહે. આ વિષય પ્રત્યેવ આખા સમાજને જાગૃત બનવાનું રહેશે. આ જાગૃતિના સર્જનમાં શિક્ષકોની મુખ્યષ ભૂમિકા રહેશે. એટલે જ શિક્ષકોને પણ નવી પ્રકારની તાલીમ મળી રહે એ બહુ જ અગત્યપનું છે. આજે આપણા ભારતનો પુનર્જન્મ્ થઈ રહયો છે. એ પુનર્જન્મશને સમજવા માટે ભારતનો સાચો ઈતિહાસ એવી રીતે આપવાની જરુર છે કે જેથી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ, આજની વિદ્યાર્થિનીઓ આ પુનર્જન્મનને સમજી શકે અને એ પુનર્જન્મભમાં જે નવાં તત્વો આપણે આપવાનાં રહેશે તેમાં તેઓ ભાગીદાર બની શકે.
નવભારત, નવયૌવન અને નવયુગ – આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. આ સાંકળમાં બાળકો અને શિક્ષકો એવી રીતે ઓતપ્રોત થવાં જોઇએ કે જેથી આપણે ભારતના પુનર્જન્મકને સાર્થક કરી શકીએ અને એક નવી દુનિયા જેને વસાવવાની આપણે લગભગ એક સદીથી વાત કરીએ છીએ તેને સાચી રીતે સાકાર કરી શકીએ. ચાલો, આપણે બાળકોને અને શિક્ષકોને માટે આપણે સમાજમાં એવા કાર્યક્રમો ગોઠવીએ કે જેથી આપણે બાળકોને હંમેશા તાજો જવાબ આપી શકીએ કેઃ‘‘આમાં નવું શું છે?‘‘

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રીમતી જયંતી એસ. રવિ
ર૭-૦૧-ર૦૧૦

Tuesday, January 12, 2010

ભગવાનની કૃપા


એક ખ્રિસ્તી યુવાન ઓલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં એનો ઉછેર થયો હતો. એક દિવસ રાત્રે નવ વાગ્યે એ એના ઘરની બાજુના જાહેર સ્નાનાગાર(સ્વિમિંગપુલ)માં પહોંચ્યો. હંમેશા મોડે સુધી શરૂ રહેતી સ્વિમિંગપુલની બધી જ લાઈટો બંધ જોઈને એને નવાઈ લાગી. સ્વિમિંગપુલની આજુબાજુની ઊંચી દીવાલોની કારણે અંધારૂં પણ ધણું જ લાગતું હતું. પોતાની ધૂનમાં મસ્ત એ કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઈવિંગ બોર્ડ સુધી પહોચ્યો. ઊંધી ડાઈવ મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બંને હાથ પહોળો કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઈટના લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો એની નજરે પડ્યો. પહોળા કરેલા હાથના કારણે પડછાયાનો આકાર વધસ્તંભ પર ચડેલા ભગવાન ઈસુખ્રિસ્ત જેવો લાગતો હતો. આમેય એ અતિશ્રદ્રાળુ કુટુંબમાંથી આવતો હતો. આવું દ્રશ્ય જોતાં જ એના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. એનું મન ભગવાનની યાદથી ભરાઈ આવ્યું. ડાઈવ મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને એ પ્રાર્થના કરવા માટે ઝૂક્યો. અને મોટેથી બોલી ઊઠ્યો, ઓ ગોડ! પ્લીઝ બ્લેસ મી (અર્થાત્ હે ભગાવન! મારા પર કૃપા કરો) જોરથી બોલાયેલા એના શબ્દો સાંભાળી પુલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગપુલની બધી લાઈટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળાને કારણે પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગપુલ ખાલી કરી નાંખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો એણે કૂદકો મારી દીધો હતો તો? એવો વિચાર પણ એને ધ્રુજાવી ગયો. ખરેખર ભગવાને એની પ્રાર્થના સાંભળી હતી. એ યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો. ખરેખર! એને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું નથી. બસ, જરૂર હોય છે એને દિલથી સાદ પાડવાની.
- ડૉ. આઈ. કે. વીજળીવાળા

કોના માટે ?


એક વખત એક નાનકડી પણ તોફાની નદીને કેટલાક માણસો પસાર કરી રહ્યાં હતાં.નદી પર પુલ નહોતો.આવતાં-જતાં લોકોએ સ્વાનુભવથી અમુક રસ્તો નક્કી કરી લીધો હતો.સાચવી જાળવીને લોકોએ આશરે નક્કી કરેલા રસ્તા પરથી પસાર થઇને નદી ઓળંગી લેતાં.બધાને ખબર હતી કે આ આશરે નક્કી કરેલા રસ્તાની બંને તરફ જ થોડાક પગલાં દૂર જવાથી ઉંડા ખાડા અને વમળ હતાં, પણ પુલ તો હતો નહીં એટલે થાય પણ શું? એ પંદરેક પગલાં જેટલી પહોળી નદી લોકો એમ જ આશરે પસાર કરી લેતાં.
પસાર થઇ રહેલા માણસોમાં એ દિવસે એક વૃધ્ધ માણસ પણ હતો. અવસ્થા અને આંખની થોડીક નબળાઇના કારણે મહામુશ્કેલીથી એણે રસ્તો પસાર કર્યો.એની પાછળજ પોતાના નાનકડા બાળકનો હાથ પકડીને માંડ માંડ રસ્તો પસાર કરી રહેલી એક સ્ત્રીને જોઇને એમને દયા આવી. એ દાદા સુથાર હતા. સામે કાંઠે પહોંચીને તરત જ એમણે પોતાના ખભે રાખેલા થેલામાંથી ઓજારો કાઢ્યાં. આજુબાજુ ઉગી નીકળેલા વાંસ અને જંગલી વેલાઓ કાપીને એમણે લાકડાંનો પુલ બનાવવાનું શરુ કર્યું. આવતાં-જતાં લોકોમાંથી થોડાંક માણસો આ દ્રશ્ય જોઇને ઉભા રહી ગયાં કોઇકે વળી સુથારદાદાને પૂછી પણ લીધું, કેમ દાદા શું કરી રહ્યા છો ? પુલ બનાવો છો ? પોતાના કામમાં મશગુલ થઇ ગયેલા દાદાએ ઉંચું જોયા વિના જ માથું હલાવી હા પાડી. દાદા ! અહીં જ આસપાસમાં કયાંક રહો છો ? પસાર થતાં લોકોમાંથી કોઇક બીજાએ પૂછ્યું. ના ! દાદાએ જવાબ વાળ્યો. તો પછી રોજ અહીંથી આવવા જવાનું થતું હશે ખરું ને ? પ્રશ્ન કરનારને આશ્વર્ય થયું હતું, કે જો આ માણસ અહીંયા ન રહેતો હોય તો વળી એ પુલ બનાવવાની જફા શું કામ વહોરે ? નક્કી એને વારંવાર આ નદી ઓળંગવી પડતી હશે. ના! દાદાએ વાંસને એક સરખા કાપીને એકબીજા સાથે મજબુત બાંધતા કહ્યું, હવે પેલા માણસની નવાઇનો પાર ન રહ્યો.પોતાનો જરાક પણ સ્વાર્થ ન હોય ત્યાં કોઇ આટલું હેરાન થાય ખરું? એનાથી કહ્યા વિના ન રહેવાયું, દાદા ! તો પછી આ બધી માથાકૂટ મૂકોને પડતી ! કોના માટે આ પુલ બાંધી રહ્યા છો ? હવે એ દાદાએ ઉંચું જોયું. કંઇ પણ બોલ્યા વિના પોતાની માતાનો હાથ પકડીને માંડ માંડ નદી પસાર કરી રહેલા બીજા એક બાળક સામે આંગળી ચીંધી.પછી ફરી પોતાના કામે લાગી ગયા. હંમેશાં પોતાની જાત માટે જ કંઇ કરવા કરતાં કયારેક બીજા માટે પણ કંઇક કરી છૂટીએ ત્યારે ખરેખર અતિ પ્રસન્નતાના અધિકારી બની જવાય છે.અને એ કામ પછી જરાય ભારરૂપ નથી રહેતું.

ડો આઇ. કે. વીજળીવાળા.

ટાઢ વાય ટાઢી



એક હતા મનનભાઇ અને એક હતા નમનભાઇ. બંન્‍નેને ભારે દોસ્‍તી.બંન્‍ને બકુલમાં હતા.એટલે કે બાલમંદિરના પહેલા વર્ષ બકુલમાં ભણતા હતા. બંન્‍નેને એક બીજાનો ભારે વાદ. નમન ધોળાં મોજા પહેરી લાવે એટલે મનનનાં લાલ મોજાનુ આવી બને.તેની મમ્‍મીનએ મનનને ધોળાં મોજાં અપાવી દેવા જ પડે.મનન લીટીવાળો બુશકોટ પહેરી લાવે તો નમને પોતાની મમ્‍મી પાસે લીટીવાળા બુશકોટની હઠ કરી જ હોય.ચોમાસામાં બન્‍ને પાસે નાની એવી રંગીન છત્રીઓ આવી.નાના નાના રેઇનકોટ અને ટોપા પહેર્યા હોવા છતાં માળાં બેય બાવલાં છત્રી ઓઢીને નીકળે ત્‍યારે જોનારા બધા જ ખડખડાટ હસી પડતાં હતાં. એક વખત તો મનનભાઇએ બે દિવસ,ત્રણ દિવસ રાહ જોઇ પણ વરસાદ આવ્‍યો જ નહી. વાદળાં કોણ જાણે કયા સંતાઇ ગયાં. એટલે મનનભાઇ તો વગર વરસાદે પણ ફૂલ-ફટાક તડકા નીચે રેઇનકોટ અને ટોપી પહેરીને નીકર્યા. એ નીકર્યા એટલે નમનભાઇ પણ નીકર્યા. એ જોઇને તો મનનભાઇની માસી કહેતી હતી કે સૂરજદાદાને પણ બહુ હસવું આવ્‍યું.એટલું હસવું આવ્‍યું કે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. અને પછી વરસી પડયાં મનન-નમનના રેઇનકોટ પર ટાપુક ટપુક ,ટાપુક ટપુક. પછી આવ્‍યો શિયાળો . મનનભાઇને એક ટેવઃ બાલમંદિરમાં સ્‍વેટર- મોજાં-ટોપાં બધુ ઠાંસીને મનનભાઇ આવે, પણ બહુ રમ્‍યા-કૂઘા પછી ગરમી થાય ત્‍યારે ટોપનો ધા,સ્‍વેટરનો ધા, મોજાંનો ધા. સાચવીને મુકે તે બીજા. બકુલના મનનભાઇનાં મોજા ગુલાબમાંથી જડે, તો કદીક બકુલના મનનભાઇનુ સ્‍વેટર પારિજાતમાંથી જડે, તો કદીક મનનભાઇનો ટોપો લપસીયા નીચેથી મળે, તો કદીક હીંચકા ઉપરથી મળુ. એની મમ્‍મી એને તેડવા આવે ત્‍યારે બધે શોધોશધ કરે. માંડ માંડ બધું શોધીને ભેગુ કરે. મનનને તે રોજ સમજાવે કે, બેટા બધુ કાઢીને જયાં ત્‍યાં ફેંકી ન દેવાય, પણ બહેનના કબાટમાં મૂકી દેવાય. પણ મનનભાઇતો રમતમાં એવા ડૂબે કે મમ્‍મીની શિખામણ તો કયાંય ભુલાઇ જાય. નમનભાઇને મનનભાઇને એક વખત સમજાવ્‍યું મનન તારી મમ્‍મી રોજ આવીને વઢે છે, તો એમ કરઃ મોજાં મૂકી દે તારા સ્‍વેટરના ખિસ્‍સામાં અને સ્‍વેટરની લાંબી લાંબી બાંયોની તારી કેડ પર વાળી દે ગાંઠ.વાંદરા ટોપો માથેથી ખેંચીને ડોક ઉપર ઉતારી નાખ એટલે તે ગળામાં ઝૂલ્‍યા કરશે. પછી ખોવાશે નહી.અને પછી તો મનનનભાઇની મમ્‍મીને થઇ ગઇહ ને કાનો હા રને શ ને કાંઇ નહીં શ. કશી શોધવાની, ચિંતા જ ન રહી.
અને શિયાળામાં મનનની માસીએ મનનભાઇને ગીત શિખવાડયુ
ટાઢ વાય ટાઢી-ટાઢ વાય ટાઢી ડગ ડગ ડગ ડગ ડગ ડગ થાય દાઢી પ્‍હેરો રે ગળપટટો, પહેરો સ્‍વેટર, પહેરો ટોપો, તોય ન માને ટાઢ હઠીલી તો શગડીયે તાપો. બારી બારણાં બંધ કરી દો, ટાઢને મૂકો કાઢી. ટાઢ વાય ટાઢી.
ગ ગણપતિનો? ના,ભાઇ! ના, ના, ગ તો ગલપટટાનો;
ટ ટટટુનો? ના ભાઇ ! ના, ના, ટ તો છે ટોપાનો ;
સ સ્‍વેટરનો, મ મોજાનો હૂંફ લાવે કાઢી. ટાઢ વાય ટાઢી ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ દાઢી. મનનભાઇને રોજ સવારે નવ વાગે બાલમંદિરે જવાનુ હોય. એટલે મમ્‍મી રોજ સવારે આઠ વાગ્‍યાથી તૈયાર કરવ મંડે. ઉઠતાં, બ્રશ કરતાં, હાથ-પગ-મોઢૃં ધોતાં, કપડાં બદલતાં મનનભાઇને તો એવી ટાઢ વાય કે દાઢી તો ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ થાય.પણ મમ્‍મી ગરમ કપડાં પહેરાવી દે પછી તો હને દીર્ધ ઉ હૂ, માથે મીંડુ હૂં. અને ફ ને કાંઇ નહીં ફ . હૂંફ હૂંફ ને હૂંફ લાગે છતાં મનનભાઇ તો ગાયા જ કરેઃ ટાઢ વાય ટાઢી ડગ ડગ ડગ ડગ ડગ ડગ થાય દાઢી.
એક રાતે ટીવીમાં સમાચાર આવ્‍યા કે કાશ્‍મીરમાં બરફ પડયો છે. હવામાન સમાચાર વખતે નકશામાં ધોળાં ધોળાં ધાબાં જોઇ મનનના પપ્‍પાએ કહયું કે આજકાલમાં આપણા ભાવનગરમાં પણ સખત ઠંડી પડવાની. અને સાચે જ શિયાળો વધુ કડકડી ઉઠયો.નમનના પપ્‍પા તો મોટા ઓફીસર હતા, તેથી તેમને તો સુંદર મજાની રેગ્‍ઝીનની જરસી અપાવી, તથી નમનભાઇ તો ઠાંસીને આવ્‍યા બાલમંદીર અને મનનનભાઇ તો જોતાં જ રહી ગયા. તેમણે નમનભાઇને આગળથી જોયા, પાછળથી જોયા, અડખેથી જોયા, પડખેથી જોયા, જરસીને તેમણે અડકીને જોયું ખીસાની ચાંપનું બટન કટ કટ કરી જોયુ,ચેઇન ઉપર નીચે કરવાનો સ્‍વાદ પણ માણી જોયો. પણ જરસી પહેરવાનો સ્‍વાદ તો કયાંથીમાણી શકાય ? અને પછી તો મમ્‍મી બપોરે બાલમંદીરે તેડવા આવી ત્‍યારે મનનનભાઇએ તો શરૂ કરી હ ને કાંઇ નહી હ અને ઠ ને કાંઇ નહી ઠ. મમ્‍મીએ બહુ સમજાવ્‍યુ કે આપણી પાસે નમનના પપ્‍પા પાસે છે તેટલા પેસા નથી તેથી આપણે એવસ મોંધી જરસી ન લઇ શકીએ. પણ સાંભળુ તે બીજા. મનનનભાઇએ તો શરૂ કરી દીધો રાગડો. ટાઢ વાય ટાઢીનું ગાણું પડતું અને શરૂ કર્યુ રોણું, ભાગ અપાવી, સમજાવી, ફોસલાવી મમ્‍મી તેમને ધરે લઇ ગઇ. રાત્રે સૂવા ટાણે મમ્‍મીએ મનનનભાઇનું ગીત ગાવુ શરૂ કર્યુ.
ટાઢ વાય ટાઢી. ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ દાઢી. ગ ગણપતિનો? ના, ભાઇ ! ના,ના, ગ તો ગલપટટાનો;
ટ ટટટુનો? ના,ભાઇ ! ના, ના, ટ તો છે ટોપાનો;
સ સ્‍વેટરનો, મ મોજાનો હૂંફ લાવે કાઢી. ટાઢ વાય ટાઢી
ડગ ડગ ડગ ડગ ડગ ડગડગ દાઢી.
મમ્‍મીને અડધેથી અટકાવીને મનનભાઇ કહે, મમ્‍મી !ગ ગલપટટાનો ને ટ ટોપાનો એમ ગાઓ તો પછી જ તો જે જ જરસીનો એમ ગાઓને!
મમ્‍મી તો સાંભળી જ રહી. નાનકડા મનનભાઇની મોટી જબરી અકકલ પર મમ્‍મી-પપ્‍પા બંને ખુશ થઇ ગયાં બોરડી પરથી ડાળ હલાવતાં બોર પડે ને? પારિજાતને હલાવતાં તેની ઉપરથી કેસરી ડાંડલીવાળાં સફેદ ફૂલ વરસી પડે ને? એમ મમ્‍મી-પપ્‍પાનું હેત મનનભાઇ પર વરસી પડયુ અને બીજે દિવસે એક-બે બીજા ખર્ચા માંડી વાળી મમ્‍મી-પપ્‍પાએ મનનભાઇને લઇ દીધી ૧૨૦ રૂપિયાની જરસી. સવારમાં મમ્‍મી મનનભાઇને જરસી પહેરાવીને ચેઇન બંધ કરતીતી ત્‍યારે મનનભાઇ અચાનક મમ્‍મીની અદમાં બોલ્‍યા,જોજે, કાઢીને ફેકી દેતો નહી, ખોઇ નાખતો નહી અને મમ્‍મી હસી પડી. પછી તો મનનભાઇ જ તો છે જરસીનો ગાતા ગાતા રોફ મારતાં બાલમંદિરે આવ્‍યા. મનન-નમનની જરસીવાળી જુગલજોડી રાલમંદિરના બીજાં બાળકો મોઢું વકાસીને જોતા રહયાં. બે દિવસ તો ગરમી થાય તોય જરસી ઉતારી નહી. પણ ત્રીજા દિવસે બાળમંદિર ક્રિડાંગણમાં કૂણે તડકે રમવા જવાનુ હતુ તથી બહેને કહયુઃ જુઓ જેમને ગરમ કપડાં કાઢવા હોય તે કાઢીને કબાટ પાસે મૂકી દો. મેદાનમાં જઇને કાઢશો તો ત્‍યાં ભૂલીન આવશો. અને મનનભાઇએ પણ બીજાં દોસ્‍તોની સાથે પોતાની જરસી ઉતારીને આવડૃયું એવી સંકેલીને બહેનના કબાટ પાસે ગરમ કપડાંના ઢગલામાં મૂકી. વર્ગમાંથી નીકળીને સૌ બાલમંદિરના આંગણામાં રમવા માંડયા.ખૂ..બ રમ્‍યાં. આટલે આટલે પાણી રમ્‍યા, ટમેટું ટમેટું દરિયે નાહવા જાતું તું,રમ્‍યા, સાતતાલી રમ્‍યાં. માછલી-દા રમ્‍યાં. સાડા અગિયાર વાગ્‍યા એટલે નાસ્‍તો કરવા માટે બહેને બધાં બાળકોને વર્ગમાં બોલાવી લીધાં અને મનનભાઇ તો દોડતાં કબાટ પાસે પહોંચ્‍યા. પણ ગરમ કપડાંના ઢગલામાં એમની જરસી જ ન હતી. તેમને તો ફાળ પડી. એક બાજુ જરસી ગુમાવ્‍યાનુ દુઃખ અને બીજી બાજુ મમ્‍મી-પપ્‍પા વઢશે તેનો ડર. મનનભાઇ તો મંડયા રડવા. ગો...ળ...ગો...ળ... મોટી મોટીઆંખોમાંથી આંસુ જાય દોડયા દડ- દડ-દડ. પછી તો તેમની મમ્‍મીએ,તેમના મોટા સાહેબે, આખુ બાલમંદિર જોઇ નાંખ્‍યું પણ જરસી કયાંય ન મળી. સાહેબે કહયુ, કાલે વાલીઓ માટેના પાટીયામાં લખશું કે એક બાળકની જરસી ખોવાઇ ગઇ છે. જેમને મળી હોય તે આપી જશો. ધરમાં આવતાં જ મમ્‍મી તો રડી પડી. પપ્‍પા કહે હશે, ચાલો જેવું ભગવાને ધાર્યુ હોય તેવું થાય. આ પૈસા અણહકના હશે. ૧૨૦ રૂપિયા જેટલું હું કામ કરવાને બદલે બેઠો બેઠો કમાયો હોઇશે. નોકરી કરવામાં જાણ્‍યે કાંઇક ભૂલ થઇ હશે, તેથી આપણે તેટલા રૂપિયાની જરસી ખોવી પડી- એમ સમજો અને એવું નહી હોય તો કાલે કોઇ બાળક અથવા તેની મમ્‍મી કે પપ્‍પા જરસી પાછી દેવા આવશે.
મમ્‍મી કહે એવું નહીં બને. જરસી તો હવે ગઇ જ સમજો. આવી કડકડતી ઠંડીમાં કયું ગરીબ માણસ જરસી પાછી દેવા આવે ? જનમારામાંય જેમણેઆવુ મોધું લૂગડું જોયું ન હોય એ કયાંથી પાછું આપે ?
પપ્‍પા કહે, કોઇ બાળક જો જરસી લઇ ગયું હશે તો તેની મમ્‍મી કે પપ્‍પા તેને કહેશે કે કોઇનું કાંઇ લેવાય નહી. જયાંથી લાવ્‍યો હોય ત્‍યાં મૂકી આવ. કાં તો તેઓ જ અમારું બાળક આ ભૂલમાં લઇ આવ્‍યું હતું.-કહેતા આપવા આવશે. મમ્‍મી કહે, બાળકને કશું ગમી વાય અને તેને લઇ લેવાનું મન થાય તો તેને તરત વિચાર આવે કે મમ્‍મી પપ્‍પા વઢશે. તથી કોઇની વસ્‍તુ ચોરીને ધેર લઇ જવાનું એવા જ બાળકને સૂજે કે જેનાં મમ્‍મી-પપ્‍પા ચોર હોય. તથી જરસી હવે પાછી નહીં મળે;
પપ્‍પા કહે,તું અઠવાડિયું જોયા કરજે. કદાચ કોઇ બાળક પહેરી લાવ્‍યુ હોય. મમ્‍મી કહે ,એવુ બને. ઠંડી આખો દિવસ રહે છે. તથી તે બાળકની મમ્‍મી તેને બાલમંદિર સિવાય ધણે બધે ઠેકાણે જરસી પહેરાવી શકશે. પકડાઇ જવાના ડરે તે તેને બાલમંદિરામાં જરસી પહેરાવીને નહીં માકલે. પપ્‍પા કહે, થયુ. આપણી હવે આ વરસે બીજી જરસી અપાવી દઇશ. હોં બેટા !
મનન કહે , મારે હવે જોઇતી જ નથી. પપ્‍પા મનનના ડહાપણ ઉપર ખુશ થઇ ગયા. બોલ્‍યા, તુ જ તો છે જરસીનો-એમ ગાતોતો ને ? હવે ગાવાનું કે, ખ તો છે ખોવાયોનો !
નાનકડા મનને મમ્‍મી-પપ્‍પાની વાતચીતમાંથી થોડું સમજાયું, થોડું ન સમજાયું. પણ તે એટલું તો જરુર સમજયો કે જેની પાસે જરસી નહીં હોય તે જરસી લઇ ગયું. તે ગંભીર થઇ ગયો. એના નાનકડાં મનમાં ઘણુંય થતું હતું. કાલે નમને જરસી પહેરી હશે અને પોતે એક વર્ષ સુધી જરસી નહીં પહેરી શકે. વળી એમેય થતું તું કે મમ્‍મી કેવી રડતી બિચારી પછી એમેય થતું કે પોતે એક વર્ષ સુધી જરસી નહીં પહેરી શકે. વળી એમેય થતું કે પોતે અને મમ્‍મી કેવા ડરતા હતા કે પપ્‍પા ઓફિસેથી આવીને વઢશે, મારશે. તેને બદલે પપ્‍પાએ તો કોઇ વાંધો નહીં, હો બેટા! એમ કહયું. પપ્‍પા કેટલા સારા છે! પપ્‍પા-મમ્‍મી શાંત થઇ ગયા તો પણ મનનનું મન શાંત ન થયું. ઝરણું કલકલ કરતું ગાતું નાચતું અચાનક થંભી જાય તો કેવું લાગે ? ફાળ ભરીને દોડતુ હરણુ અચાનક થંભી જાય તો કેવું લાગે ? મનન પણ એવો લાગતો હતો. પડી ગયેલું મોઢું અને ચિંતાતુર આંખો, તેણે રાતે દુધનો પ્‍યાલો આખો ન પીધો. અને છાનો માનો એકેય હાલા-ગીત સાંભળવાની હઠ કર્યા સૂઇ જવા લાગ્‍યો સૂતા પહેલાં મમ્‍મીને કહયું કે મમ્‍મી રામ રક્ષા ગા ત્‍યારે જે જે બાપાને કહેજે કે કાલે મારી જરસી પાસી મળી જાય એવું કાંઇક કરે. બીજે દિવસે તેણે અને તેની મમ્‍મીએ બાલમંદિરે રાહ જોયા કરી પણ જરસી પાછી આપવા કોઇ ન આવ્‍યું. મનનને યાદ આવ્‍યું: અગાશીની વંડી ઉપર પંખી માટે પહેલવહેલી માટીની ઠીબની પરબ માંડી ત્‍યારે તેણે આખો વખત કોઇ ચકલું-પારેવું, હોલું-લેલું, કાબર-કુબર પાણી પીવા આવે તેની રાહ જોયા કરેલી પણ કોઇ ન આવ્‍યું ત્‍યારે તે આવો જ નિરાશ થયેલો.
પ્રાર્થનામાં સાહેબે બાળકોને ધીરેધીરે, વઢયા વિના, કોઇનું કાંઇ લેવાય નહીં, લીધું હોય તો પાછું દઇ દેવાય-એવું સમજાવીને મનનને સ્‍ટેઇજ ઉપર ઉભો કરી કહયું, આ બાબાની જરસી ખોવાઇ છે. તમે ભૂલમાં લીધી હોય તો પાછી આપી દેજો મનનને થયું કે બાળકો બધા ડાહયા છે. કાલે જરુર જરસી પછી આવશે.
ત્રીજે દિવસે મમ્‍મી તેડવા આવી ત્‍યારે તેણે સાહેબને પૂછયું કે જરસી મળી ? કોઇ દેવા આવ્‍યું હતું? સાહેબે કહયું, ભારે થઇ બહેન, તમારા બાળકની જરસી અમારા બાલમંદિરમાંથી ખોવાઇ ગઇ તેનું અમને દુ:ખ છે. ત્‍યાં મનનભાઇ દોડતાં આવીને મમ્‍મીને બાજી પડયા. બોલ્‍યા: મમ્‍મી ! જરસી મળી ગઇ. હે ? કયા છે ? એક છોકરો જરસી લઇને આવ્‍યો હતો.
તો તેં લઇ કેમ ન લીધી ? ચાલ દેખાડ, કોણ લાવ્‍યો તો? મનન કહે પણ સાંભળ તો ખરી તે છોકરો મને જરસી આપને કહે કે લે, આ તારી જરસી, હું લઇ ગયેલો. મેં પૂછયું, તું કેમ લઇ ગયો હતો ? તો બિચારો કહે મારી પાસે બંડીય પહેરવાની નથી. મને ટાઢ વાતીતી એટલે લઇ લીધી હતી. મે કહયું તારા પપ્‍પાને કહેજે કે તને સ્‍વેટર લઇ દે. તો એ બિચારો કહે મારે પપ્‍પાય નથી. તે તો મરી ગયા છે. મે તારી જરસી લઇ લીધીતી પણ કાલે સાહેબે કહયું ને કે કોઇનું કાંઇ લેવાય નહીં, એટલે તને પાછી આપી દઉં છું. એટલે મમ્‍મી, મેં એને કહયું કે રાખ તું તારી આગળ. હવે આ જરસી તું જ પહેરજે. એટલે ડગ ડગ ડગ ડગ દાઢી નહીં થાય હું તો હવે મારું સ્‍વેટર પહેરીશ. આ સાંભળીને મમ્‍મીએ તો તેના લાડલા મનનનભાઇને દીકરો મારો ડાહયો કહીને તેડી લીધો અને બચીઓથી નવડાવી નાખ્‍યા. મોટાસાહેબે તો સાડાત્રણ-ચાર વર્ષના બાળકની આ સમજ, આ ઉદારતા જોઇને નવાઇ પામી ગયા. મનનભાઇના મુખ ઉપર જરસી મળી ગઇ તેનો આનંદ હતો, અને તેમની મમ્‍મીના મુખ ઉપર દીકરાએ જરસીનું દાન કર્યું તેનો આનંદ હતો. મનનના પપ્પાએ આ વાત જાણી ત્યારે તેમને તો મનનભાઈમાં કોઈ મહાત્માના દર્શન થવા લાવ્યા.ચાલ, ભાગ અપાવું કહીને બજારમાં તેડી ગયા. પણ ભાગનું તો બહાનું હતું હો ભાઈ! પપ્પાએ મનનભાઈને શું લઈ દીધું ખબર છે? એક નવી જરસી. બીજે દિવસે મનન-નમનની જરસીવાળી જુગલ જોડી બાલમંદિરના આગણામાં રેતીની ઢગલો કરતી કરતી ગાતી હતી: ટાઢ વાય ટાઢી, ડગ ડગ ડગ ડગ ડગ ડગ થાય દાઢી. જ જમરૂખ નો? ના ભાઈ!ના ના. જ તો છે જરસીનો. મનનભાઈને તેડવા આવેલી મમ્મીએ બાળકોને ગાતાં સાંભળીને મનોમન નોંધ્યું કે ટાઢનું ગીત જે જરસી પહેરી શકે તેને જ ગાવાનું સૂઝે. ખરેખર જેમને ટાઢ વાય છે. તેમને તો શું ગાવું અને શું નાચવું? કેટલાંય ગરીબ બાળકો ટાઢે ઠૂઠવાતા હશે! અને ત્યારે તેઓ ગાતાં નહીં હોય, પણ રોતાં હશે. આ બાજુ, બજારમાં ભેગા થઈ ગયેલા નમનના પપ્પા મનનના પપ્પાને કહેતા તા: તમારા બાબાએ તો કમાલ કરી! મેં નમન પાસેથી વાત જાણી. આવડા બાળક માટે આ ધણું કહેવાય. ભાઈ, આપણો દેશ તો બહુ ગરીબ છે. આપવા જઈએ તો કોને કોને અને કટલાને આપવું? એટલે મેં તો નક્કી કયું છે કે કોઈનેય આપવું નહીં. સૌ સૌના ભાગ્ય પ્રમાણે ભોગવે છે. મનનના પપ્પા કહે, સાચે જ, આપણો દેશ બહુ ગરીબ છે. આપણે તે કેટલાને આપી શકીએ? એટલે મેં તો હવેથી મારા નાના ગજા પ્રમાણે નક્કી કર્યું છે કે દર વર્ષે શિયાળામાં કોઈ એક ગરીબ બાળકને એક જરસી ભેટ આપવી.
- રક્ષાબહેન દવે

કાચબો અને સસલો


શહેરમાં ગામને પાદરે બસ આવે છે. અડધો કલાક ઊભી રહે છે. બસ ઊભી હોય ત્યારે શહેર જનારા એક પછી એક પાદરે આવે છે. કોઇ લાકડીને ટેકે ટેકે ચાલીને આવે છે. કોઇ માથે પોટલું લઇ આવે છે. છૈયાંછોકરાં સાથે આવે છે. આ બધા બસમાં ગોઠવાય છે. સમય થતાં ડ્રાઇવર બે ચાર વાર ભોં... ભોં... પું... પું... એવું ભૂંગળું વગાડે છે. કંડકટર બસના દરવાજે ઊભો રહી ગામ ભણી નજર નાખી ટિંગ... ટિંગ... ટોકરી વગાડે છે. બસ ઊપડે છે. તેવામાં બેત્રણ જણ બસ ઊભી રાખવા બૂમ પાડતા, હાથ બતાવતા, દોડતા દોડતા બસ પકડવા આવે છે. પણ તેઓ મોડા પડ્યા છે. બસ ઊપડી જાય છે.
આવું જ મોટાં સ્ટેશનો પર પણ જોવા મળે છે. સમય થતાં ગાડી પ્લેટફોર્મ પર ગોઠવાય છે. એક પછી એક મુસાફર આવે છે. ગાડીમાં જગા જોઇ શોધી ગોઠવાતા જાય છે. કેટલાક લોકો જગા શોધવા આખી ગાડી ફરી આવે છે. જગા દેખાય તે ડબામાં ડોકિયું કરી અંદર જાય છે. જગા લે છે. સમય થતાં ડંકા વાગે છે. ગાર્ડ સિસોટી વગાડે છે. ગાડીનું ભૂંગળું વાગે છે... ભોં.. ઓં... ઓં... ને ગાડી ધીમી ગતિએ ઊપડે છે. અને તે સમયે પણ લગભગ દરેક ગાડીમાં કેટલાક દોડીને ગાડી પકડે છે. કેટલાક ગાડી ઊપડી ગઇ તે જોતા રહી જાય છે. મોડા પડ્યા પર અફસોસ કરે છે. બીજી ગાડીની રાહ જોતા ઊભા રહે છે.
ઇસપના જમાનામાં બસ નહોતી. આગગાડી પણ નહોતી. પણ માણસો તો આજે છે તેવા જ હતા. કેટલાક ધીમે ધીમે પણ ચોક્કસ સમય મુજબ ચાલનારા. સમયસર કામ કરનારા. કેટલાક આળસુ, ઊંઘરેટ, દોડાદોડી કરનારા, પાછા પડનારા. ઇસપે આવા લોકોને જોઇ વારતા લખી છે. ‘ કાચબો ને સસલો.’
કાચબો ને સસલો બંને દોસ્તદાર. કાચબો ધીમે ધીમે ચાલે. સસલો કૂદાકૂદ કરે, છલાંગ મારીને ચાલે. કાચબાનું કામ ઘડિયાળના કાંટા જેવું. સસલાનું પવન જેવું. ક્યારેક જોરથી વાય, ક્યારેક પડી જાય. એક દિવસ કાચબો તેની ડગુમગુ ચાલે ચાલ્યો જતો હતો. હવા ખુશનુમા હતી. કાચબો તેની ધીમી ચાલે ચાલ્યો જતો હતો. તે વખતે સસલો તેની બોડની બહાર બેસી મઝેદાર હવા ખાતો બેઠો હતો. તેણે ડગુમગુ ચાલતા કાચબાને જોયો. તેને કાચબાની મશ્કરી કરવાનું મન થયું. તેણે કાચબાને કહ્યું, “ ઓહો, કાચબાભાઇ, કેમ છો ? ક્યારના નીકળ્યા ? સવારના કે થોડા મોડા ?”
“સસલાભાઈ, નીકળ્યો છું તો હમણાં જ. હવા સરસ છે, તો થયું ચાલ તળાવે ફરી આવું. ભાઇબંધો મળશે. મજા આવશે.”
સસલો કહે,“ પણ કાચબાભાઈ, તમે તળાવે ક્યારે પહોંચશો ? આમ ડગુમગુ કરતાં કરતાં તળાવે પહોંચશો ત્યાં સુધીમાં ભાઈબંધો તો ભાગી જશે !”
કાચબો મજાક સમજી ગયો. મનમાં હસ્યો. પછી કહ્યું, “સસલાભાઈ, ચાલવાની ઝડપમાં તમને કોણ પહોંચે ? પણ ભગવાને જેવા ઘડ્યા તેવા રહેવાના. તમે કૂદકા મારો. હું ડગુમગુ ચાલુ. તમે તો ઊંઘ પણ સારી કાઢો. મારે તો તેય ઓછી !”
સસલો કાચબાની વાત સાંભળી હસ્યો ને ફુલાયોય ખરો. કાચબાએ તે જોઇ કહ્યું, “ તમારી ચાલનો ગરવ ન કરશો. મારી સાથે શરતમાં ઊતરો તો કદાચ હારી પણ જાઓ. સમજ્યા?”
સસલો કહે,“તમારી ચાલની જેમ તમારી હિંમતેય જબરી છે. મારી જોડે, ને તેય દોડવાની શરત ! આવી જાઓ. ક્યારે દોડવું છે.”
કાચબો કહે,“ધરમના કામમાં ઢીલ નહીં. આવો મેદાનમાં. અબ ઘડી ફેંસલો.”
બંને મેદાનમાં આવી ગયા. આ વનથી બે ગાઉ છેટે તળાવ કાંઠે મંદિર છે. જે પહેલો મંદિરે પહોંચે એ જીતે એમ નક્કી થયું. બંનેએ એક, બે, ત્રણ કરી શરત માટેની દોટ માંડી. સસલો તો ઠેકડા મારતો મારતો આગળ નીકળી ગયો. કાચબાએ બધી તાકાત વાપરી ડગુમગુ ચાલ ઝડપી બનાવી. સસલો દેખાતો નહોતો, તોય તેણે હિંમત ન હારતાં ચાલવાનું ચાલું રાખ્યું. એકધારી ચાલે તેણે દોઢેક ગાઉ કાપી નાખ્યો. હવે તળાવ ઢૂંકડે હતું. મંદિરની ધજા દેખાઈ.
એવામાં રસ્તાની બાજુની ઝાડીમાં કંઇ સળવળાટ થયો. કાચબે જોયું તો સસલાભાઈ ઊંઘતા હતા. પડખું ફેરવતા હતા. તેમણે દોટ તો સારી કાઢી હતી. પણ રસ્તે ઝાડી આવતાં આરામ કરવા રોકાયા હતા. ઠેકડા મારી થાકેલા ને ઊંઘ આવી ગયેલી.
કાચબો મનોમન હસ્યો. તેણે માનેલું તેવું જ થયું. તેને ઊંઘતો મૂકી કાચબો ડગુમગુ ચાલે તળાવે પહોંચી ગયો. મંદિરને ઓટલે ચઢી તેણે સસલાની રાહ જોવા માંડી. પેલી તરફ સસલાભાઈ ઊંઘીને ઊઠ્યા. કાન ફફડાવ્યા. શરત યાદ આવી. રસ્તે જોયું કે કાચબો દેખાય છે. ક્યાંથી દેખાય ? મનમાં થયું,“બાપડો હજુ ક્યાંય પાછળ હશે!” તેણે ઠેકડા મારી તળાવનો રસ્તો લીધો. તળાવે જઇ કૂદકો મારી મંદિરને ઓટલે જોયું. કાચબો હસતો હસતો બેઠો હતો. ભગવાનનું ભજન કરતો હતો. સસલાનું મોં પડી ગયું. તેને થયું,“આ કાચબો મારાથીય પહેલો પહોંચી ગયો!”
કાચબો તેના મનના ભાવ સમજી ગયો. ”સસલાભાઈ, મદ સારો નહીં. ઊંધ સારી નહીં. તમારી દોડવાની ઝડપ ક્યાં ને મારી ડગુમગુ ચાલ ક્યાં ! અને તોય તમે શરત હારી ગયા ! ” બસ ઊપડતી હોય ત્યારે તે પકડવા દોડતા મુસાફરોને યાદ કરો. ગાડી ઊપડતી હોય ત્યારે તેને પકડવા દોડતા ને લટકી જતા મુસાફરોને યાદ કરો. આખું વરસ ન વાંચનાર ને પરીક્ષા ટાણે ઊજાગરા કરનાર ભણનારને યાદ કરો. એ બધા સસલા જેવા છે. સમયસર પાદરે પહોંચી બસમાં ગોઠવાનાર, સમયસર સ્ટેશને પહોંચી ગાડીમાં બેસનાર, રોજ નિયમિત વાંચી પરીક્ષામાં પહેલે નંબરે પાસ થનાર એ સહુ કાચબા જેવા છે.
- જિતેન્દ્ર દેસાઈ

અખરોટની બરણી


બગદાદ શહેરમાં અલી કોજિયા નામનો એક વેપારી રહેતો હતો. તે એકલદોકલ આદમી હતો તેને એક નાનકડી દુકાન હતી, ને તેનો વેપાર ઠીકઠાક ચાલતો હતો. તેમાંથી તે સારું કમાતો હતો તે સંતોષથી રહેતો હતો. એક રાતે તેને સ્વપ્નુ આવ્યુ. સ્વપ્નમાં એક ફકીર દેખાયો. ફકીરે કહ્યું, અલી; તે બહું ધંધોંધાપો કર્યો; હવે તો તારી પાછલી અવસ્થા છે: માટે મક્કા શરીફની હજ કરવા જા! અલીને સ્વપ્નમાં આ વાત સાચી લાગી, પણ સવાર થતાં તે વેપારમાં પડ્યો ને સ્વપ્નાની વાત ભૂલી ગયો. બીજી રાતે તેને ફરી સ્વપ્નુ આવ્યું. ફરી પેલા ફકીરે કહ્યું; અલી, તું એકલ દોકલ છે, પાછળ તારે કાંઇ ચિંતા કરવા જેવું નથી, માટે મક્કા શરીફની હજ કરવા જા!
અલીએ સ્વપ્નામાં તેમ કરવા નક્કી કર્યું, પણ સવાર થતાં સ્વપ્નાની વાત તે ભૂલી ગયો. ત્રીજી રાતે વળી તેને સ્વપ્નું આવ્યું. ફકીરે કહ્યું: અલી, ધંધાનો-માયાનો મોહ તું છોડી શકતો નથી પણ અંતકાળે એ કોઇ કામ નહીં આવે. હવે તુ પુણ્ય ભેગુ કરવા માંડ ને તે માટે મક્કા શરીફની હજ કરવા જા!
આ વખતે તો અલીએ મનમાં પાકી ગાંઠ વાળી કે, બીજે દિવસે જ હજ કરવા ઉપડવું. સવાર થતાં તે દુકાને ગયો ને ચોપડા તપાસી તેણે બધી લેવડદેવડ પતાવી નાખી પછી દુકાનનો માલ વેચી તેની મૂડી કરી લીધી. જે થોડો ઘણો માલ વેચાયા વિનાનો રહ્યો તે તેણે સાથે લઇ જવાનો નિશ્ચય કર્યો. હવે સવાલ રહ્યો માત્ર મૂડીનો. મૂડીમાં તેની પાસે એક હજાર સોનામહોરો હતી. પ્રવાસમાં તો એ સાથે લઇ જવાય નહીં, તો ક્યાં રાખવી? કેવી રીતે રાખવી?
બહુ બહુ વિચાર કર્યો ત્યારે તેને એક ઉપાય સૂઝી આવ્યો તે મુજબ તેને મહોરો બરણીમાં મૂકીને તે ઉપર અખરોટ ભરી દીધા.પછી એ બરણી બરાબર બંધ કરીને પોતાના એક શાહુકાર મિત્રને ઘેર ગયો. જઇને શાહુકારને તેણે કહ્યું: મિત્ર મારું એક કામ કરશો? હું મક્કા શરીફની હજ કરવા જાઉં છું. પાછો આવું ત્યાં સુધી આ અખરોટની બરણી તમારે ત્યાં રાખશો? શાહુકારે કહ્યું: વાહ, એમાં શું? લો આ ચાવી ને વખાર ઉઘાડીને તમારી મેળે જ એને મૂકી આવો.
આમ કહીને તેણે અલીને વખારની ચાવી આપી. અલી એ વખાર ઉઘાડી એક ખૂણામાં પોતાની બરણી મૂકી દીધી. પછી ચાવી શાહુકારને આપી પોતે ઘેર ગયો ને તે જ રાતે એક ઉંટ ભારે કરી હજ કરવા ઉપડી ગયો.
મક્કા જઇ અલી બધાં તીર્થસ્થાનોમાં ફર્યો ને નમાજ પઢ્યો. બીજી ધાર્મિક વિધિ કરી પોતાની સ્થિતિ પ્રમાણે ગરીબગુરબાને ખેરાત પણ કરી. એ બધું કર્યા પછી અલી બજારમાં ગયો ને પોતાની સાથે જે માલ સામાન લાવ્યો હતો તે વેચવા બેઠો. બજારમાં દેશદેશાવરના વેપારીઓ માલ વેચવા આવ્યા હતાં. તેમાંથી કોઇકે આ માલ જોઇને કહ્યું: માલ ઘણો સરસ છે. કેરોમાં જઇ ને વેચો તો આની ઘણી સારી કિંમત ઉપજશે.
આ શબ્દો સાંભળતાં જ અલીનો વેપારી જીવ લલચાયો. તરત તેણેં એક ઉંટ ભાડે કર્યું, ને તે ઉપર માલ ભરી તે કેરો જવા ઉપડ્યો. કેરોમાં એને એના માલની સારી કિંમત ઉપજી. પણ ત્યાં વળી તેના જાણવામાં આવ્યું કે, કેરોના માલના નાણાં જેરૂસલેમમાં સારાં ઉપજે છે. તેથી તે માલ ભરી જેરૂસલેમ ગયો. ત્યાં સારો નફો થવાથી અલીનું મન હવે વેપારને ચસકે ચડ્યું. એટલે માલ ખરીદતો ને વેચતો. તે દમાસ્કસ, મોસલ, ઇસ્પહાન વગેરે અનેક શહેરોમાં ફર્યો. ફરતો-ફરતો તે છેક હિંદુસ્તાન પહોંચી ગયો. આમ પ્રવાસમાં તેને સાત વર્ષ વીતી ગયાં. સાત વર્ષ વીતતાં આ તરફ પેલો શાહુકાર પણ બરણીની વાત ભૂલી ગયો હતો. એવામાં એક દિવસ વાળું કરવા બેસતી વખતે તેની સ્ત્રીને અખરોટ ખાવાનું મન થયું.
શાહુકારે કહ્યું: અત્યારે રાતે અખરોટ ક્યાંથી મળે?
સ્ત્રીએ મશ્કરી કરી: બસ? તમે તો કહેતા હતાં કે તારે ખાતર સર્વ કાંઇ કરવા તૈયાર છું, ને આજે બે અખરોટે નથી લાવી દઇ શકતાં?
એકદમ શાહુકારને યાદ આવ્યું કે અલી કોજિયા પોતાની વખારમાં અખરોટની બરણી મૂકી ગયો છે. તરત આનંદમાં આવી જઇ તેણે કહ્યું: અરે હા, યાદ આવ્યું. વખારમાં અખરોટની આખી બરણી પડી છે. પેલો અલી કોજિયા મક્કા હજ કરવા ગયો ત્યારે મૂકી ગયો છે. રહે, હમણાં તને થોડા લાવી દઉં છું. સ્ત્રીએ કહ્યું: ના, ના, ના, એવું ન કરશો! એ તમારા વિશ્વાસે બરણી મૂકી ગયો છે તો આ પારકી થાપણમાં હાથ ન ઘાલશો! એ તો ચોખ્ખો વિશ્વાસઘાત કહેવાય! શાહુકારે કહ્યુ :અરે, એમાં શું થઇ ગયું? એ ક્યાં સોનુંરૂપું છે? એ તો માત્ર અખરોટ છે! અને અલી કોજિયાને ગયે આજે સાત વરસ થઇ ગયાં, છતાં નથી એના ખબરઅંતર! વખતે એ મરી પણ ગયો હશે! આમ કહી એ ચાવીને દીવો લઇ ને વખારમાં ગયો. વખારમાં બરણી એક ખૂણામાં પડી હતી. શાહુકારે તે ખોલીને ઉપરથી મૂઠો ભરીને અખરોટ લીધાં, પણ તે સડી ગયેલા માલૂમ પડ્યા. શાહુકારને થયું કે નીચેના અખરોટ કદાચ સારાં હશે. તેથી તેણે ઉપરના અખરોટ બહાર કાઢી નાંખી નીચેના અખરોટ લેવા હાથ નાંખ્યો તો અખરોટને ઠેકાણે તેના હાથમાં સોનામહોરો આવી.
હં, હવે હું સમજ્યો કે એ કેમ અખરોટની બરણી મારા ઘરમાં મૂકી ગયો! તે મનમાં બોલ્યો. તરત તેણે બરણી ઉંધી વાળીતો પૂરી એકહજાર સોનામહોરો તેમાંથી નિકળી!
તે જોતાં તેના લોભનો કીડો સળવળ્યો ને તેને વિચાર આવ્યો: અલી હવે આવી રહ્યો! એ તો ક્યારનો મરી ગયો હશે! અને આવશે તો અખરોટની બરણી એને પધરાવી દઇશ. આમ વિચારી તેણે મહોરો ઘરમાં વગે કરી દીધી. પછી બીજે દિવસે બજારમાંથી નવા અખરોટ લાવી મહોરોની ખાલી પડેલી જગ્યાએ બરણીમાં ભરી દીધાં ને બરણી હતી એમ બરાબર ગોઠવી દીધી. તેની સ્ત્રીને એ વિષે કંઇ ખબર ન પડવા દીધી.
આ બનાવ પછી લગભગ એક મહિને પોતાનો પ્રવાસ પૂરો કરીને અલી કોજિયો પાછો બગદાદમાં આવ્યો. આવીને પોતાનું ઘર ઠીકઠાક કરીને તે પોતાની મૂડી સંભાળવા શાહુકારને ઘેર ગયો. શાહુકારે તેને જોતાં જ કહ્યું: ઓહો, તમે આવી ગયા? બહું સારું થયું! મને ચિંતા થતી હતી કે અલીને તે થયું શું? લો ચાવી ને તમારી મેળે વખાર ઉઘાડી બરણી લઇ લો! તમે એ જ્યાં મૂકી હશે ત્યાં જ પડી હશે.
અલીએ વખાર ઉઘાડીને જોયું તો બરણી પોતે જ્યાં મૂકી હતી ત્યાં જ પડી હતી. જરાયે આઘીપાછી થઇ નહોતી. તેથી સંતોષ પામી, બરણી લઇ શાહુકારનો આભાર માની તે ઘરે ગયો. ઘેર જઇ તેણે હોંશેહોંશે બરણી ઉઘાડી. મહોરો કાઢવા અંદર હાથ નાખ્યો, તો તેના હાથમાં અખરોટ આવ્યાં. ફરી વધારે ઉડોં હાથ નાખ્યો, તો ફરી પણ અખરોટ આવ્યાં. બરણી ઉંધી વાળી તો તેમાંથી કેવળ અખરોટ જ નીકળ્યા! આ જોઇ ને તે આભો બની ગયો. જોરથી તે બોલી ઉઠ્યો: અરે,આ શું? જેને મેં પૈસાપાત્ર ને વિશ્વાસુ માન્યો તે જ આમ દગાખોર નીકળ્યો? તે દોડતો શાહુકારને ત્યાં ગયો. શાહુકાર આ વખતે દુકાને જ બેઠો હતો.
ધીમે રહીને અલીએ તેને કહ્યું: દોસ્ત, મહોરો વાપરી તો મને જરા કહેવું તો હતું? હશે, એમાં મને કંઇ વાંધો નથી. તમારી સગવડે એ ભરપાઇ કરી આપજો. અત્યારે ફક્ત મને એની પહોંચ લખી આપો.
શાહુકારે કહ્યુ: શાની મહોરો? શાની પહોંચ? મને આ વાતમાં કાંઇ સમજ પડતી નથી.
અલીએ મક્કમતાથી કહ્યું: તમે મારી અખરોટની બરણીમાંથી એકહજાર સોનામહોરો કાઢી લીધી છે તેની હું વાત કરું છું. શાહુકારે ચિડાઇને પૂછ્યું: અલી મિયાં, તમે મારે ત્યાં શાની બરણી મૂકી ગયા હતાં? અલીએ કહ્યું: અખરોટની, પણ તેમાં મે એકહજાર સોનામહોરો મૂકી હતી.
શાહુકારે કહ્યું: મને એ દેખાડી હતી? ના. મને એ વિષે કંઇ કહ્યું હતું? ના. તો કેવી રીતે મૂકી હતી? ક્યારે મૂકી હતી? કોને કહી મૂકી હતી? હાજી મિયાં, તમે આમ ગળે પડશો એની મને કલ્પનાયે નહોતી.
અલીએ કહ્યું: દોસ્ત, હું સાચું કહું છું કે હું તમારે ત્યાં અખરોટની બરણી મૂકી ગયો હતો, તેમાં મારી એકહજાર સોનામહોરો હતી.
હતી! હતી તો પૂછો બરણીને! હું શું જાણું? મેં બરણી લીધી નથી. તમે મને મહોરો દેખાડી નથી. એ વિષે કંઇ કહ્યું પણ નથી. તમે તમારી મેળે બરણી વખારમાં મૂકી છે ને તમારી ,મેળે એ લીધી છે. સાત વરસ પછીયે એ આઘીપાછી થઇ હોય તો કહો! સારું છે કે બરણીમાં હીરામોતી હતા, એમ તમે નથી કહેતા! વાહ ભાઇ વાહ! હજ કરીને આ ઠીક શીખી લાવ્યા! આ છેલ્લા શબ્દો શાહુકાર એટલા જોરથી બોલ્યો કે તે સાંભળી આસપાસની દુકાનોવાળા શું છે? શું છે? કહેતા ભેગા થઇ ગયા. શાહુકારે તેમને કહ્યું: આ ભાઇ મારી વખારમાં અખરોટની બરણી મૂકી ગયા હતા. ચાવી લઇને જાતે મૂકી હતી ને આજે જાતે લીધી છે. ને હવે કહે છે કે એ તો મહોરોની બરણી હતી! લોકોએ પૂછ્યું: હેં મિયા, તમે શાની બરણી મૂકી ગયા હતા? અલીએ કહ્યું: અખરોટની, પણ એમાં મારી એક હજાર સોનામહોરો હતી.
તમે એ મહોરો એને દેખાડી હતી?
ના. એ વિષે કાંઇ વાત કરી હતી? તો શી ખાતરી કે બરણીમાં મહોરો હતી?
અલી તેમને સંતોષ થાય એવા જવાબ ન આપી શક્યો એટલે એ બધા હસવા માંડ્યાને કહેવા લાગ્યા: અલી, તારી વાત માન્યામાં નથી આવતી!
હવે અલી ખિજાયો. ખિજાતાં તે જોરથી બોલી ઉઠ્યો: હું ખુદાના કસમ ખાઇને કહું છું કે મારી બરણીમાં એકહજાર સોનામહોરો હતી. ભલે તમે કાંઇ ના માનો! હું કચેરીમાં જઇ કાજી પાસે આનો ન્યાય કરાવીશ.
શાહુકાર હવે જોરમાં આવી ગયો હતો. તેણે કહ્યું: અત્યારે જ જા! કચેરીનાં બારણાં ઉઘાડાં છે.
ધૂંધવાતો ધૂંધવાતો અલી કચેરીમાં ગયો. જઇ ને કાજી પાસે ફરિયાદ નોંધાવી. કાજીએ તરત શાહુકારને બોલાવી મંગાવ્યો.
શાહુકારે પોતાના બચાવમાં કહ્યું: મે બરણી જોઇ નથી. મે લીધી નથી. અંદર શું હતું ને શું નહીં તેની ખબર નથી. અલી એ આવીને મને કહ્યું: આટલી અખરોટની બરણી તમારે ત્યાં રાખશોં? મેં કહ્યું: લો આ ચાવી તમારી મેળે મૂકી આવો, પછી બરણી અલીએ જાતે વખારમાં મૂકીને જાતે ત્યાંથી લીધી છે. સાત વરસના ગાળામાં કોઇએ બરણી ઉઘાડી નથી કે જરા પણ આઘીપાછી થઇ નથી. પછી અલીને કાજીએ પુછ્યું: તે શાહુકારને બરણી આપી ત્યારે કોઇ હજર હતું? અલી એ કહ્યું: જી ના, કોઇ હાજર ન હતું. કાજીએ ફરી પૂછ્યું: હં બોલો ત્યારે કોની રૂબરૂમાં બરણીમાં સોના મહોરો મૂકી હતી ને કોની રૂબરૂમાં બરણી ઉઘાડી હતી? અલીએ કહ્યું: કાજી સાહેબ, એ કોઇ વાતના મારી પાસે સાક્ષી નથી. કારણ કે આ શાહુકાર મારો જૂનો મિત્ર છે તેથી મે વિશ્વાસ રાખેલો, એ મને દગો નહીં દે! કાજીએ કહ્યું: થયું, ત્યારે હું આ બાબતમાં શાહુકારને ગુનેગાર ઠરાવી શકતો નથી.
અલી એ કહ્યું:જી હું સાવ સાચું બોલું છું. હું હજ કરીને આવેલો છું, મારી મહોરો આ શાહુકારે કાઢી લીધી ન હોય તો જાય ક્યાં?
કાજી એ કહ્યું: પણ તમારી પાસે કોઇ સાક્ષીપુરાવો તો છે નહીં! શું થાય?
નિરાશ થઇ અલી ઘેર ગયો. પણ તે જ દિવસે સાંજે બાદશાહ હારુન અલી રસીદની પાસે જઇ દાદ માંગવાનું નક્કી કર્યુ તે માટે બાદશાહ જે મસીદમાં નમાઝ પઢવા જતા હતા તેને દરવાજે જઇને ઉભો.પછી બાદશાહ નમાઝ પઢીને જેવા મસીદની બહાર નીકળ્યા કે તરત અલી તેમના હાથમાં અરજીનો કાગળ મૂકી તેમના પગમાં આળોટી પડ્યો. બાદશાહે તેની અરજી વાંચી! તેને બીજે દિવસે દરબારમાં આવવાનુ કહ્યું.
આખી રાત અલી આખા દિવસના બનાવનો શોક કરતો ઘરની ઓસરીમાં બેસી રહ્યો. આ બાજુ બાદશાહ અને તેનો વડો વજીર વેશપલટો કરીને રાતે નગરચર્યા જોવા નીકળ્યા. ફરતા-ફરતા તેઓ એક મહોલ્લામાં આવી પહોંચ્યા. મહોલ્લામાં થોડા છોકરા ટોળે વળ્યા હતા ને થોડા નાટક ભજવતા હતા. આ નાટક અલી કોજિયા અને શાહુકારના કિસ્સા પરથી બનાવેલું હતું. આ કિસ્સો આખા બગદાદ શહેરમાં ચર્ચાનો વિષય થઇ પડ્યો હતો. અને બાળકો ઉપર પણ તેની ઉંડી અસર થવા પામી હતી. બાદશાહ અને વજીર નાટક જોવા ઉભા રહ્યા.
પડદો ઉપડતાં નાટક શરૂ થયું. અલી કોજીયા અખરોટની બરણી શાહુકારને ત્યાં મૂકવા આવ્યો. શાહુકારે કહ્યું: લે આ ચાવી, તારી મેળે વખારમાં એ મૂકી દે! અલી ત્યાં બરણી મૂકી હજ કરવા ગયો.
હજ કરી અલી સાત વરસે પાછો આવ્યો. આવીને તેણે શાહુકારને ત્યાં જૈ બરણી માંગી. શાહુકારે કહ્યું: લે આ ચાવી તારી મેળે વખારમાંથી લઇ આવ! બરણી લઇ અલી ઘરે ગયો.
પછી અલીએ કાજીને ફરિયાદ કરી કે, મારી બરણીમાંથી એક હજાર સોનામહોરો ચોરાઇ ગઇ છે. કાજીએ શાહુકારને બોલાવી તેની જુબાની લીધી. શાહુકારે બરણી ઉઘાડ્યાનો સાફ ઇન્કાર કર્યો એટલે કાજીએ અલીને કહ્યું: અલી, અખરોટની બરણી અહીં હાજર કરો. અલી એ તરત બરણી લાવી હાજર કરી.
કાજીએ તેમાંથી અખરોટ હાથમાં લઇ ધારીધારીને જોયાં. જરા સૂંઘ્યાં. એક બે ફોડીને ખાધાં ધીરેથી કહ્યું: અરે, હું નથી ધારતો કે સાત વરસ સુધી અખરોટ આવાં સારાં રહી શકે. ચાલો, હું ગામના બે વેપારીઓનો અભિપ્રાય લઇ જોઉ. આમ કહી તેણે સિપાઇને બજારમાં મોકલી અખરોટના બે વેપારીઓને તેડાવી મંગાવ્યા.
કાજીએ વેપારીઓને પૂછયું; અખરોટ એવા ને એવા કેટલાં વરસ સુઘી રહી શકે ?
વેપારીઓએ કહ્યું: બહુ તો બે વરસ.પછી તેનો રંગ ને સ્વાદ ફરી જાય ! કાજીએ તેમને બરણી આપી કહ્યું; ઠીક તો લો આ અખરોટ જૂઓ, ને એ કેટલાં વરસ જૂનાં છે તે કહો !
વેપારીઓએ બરણી ઠાલવી, તેમાંનાં અખરોટના બે ભાગ પાડયા. પછી બંને ઢગલી વારાફરતી બતાવી કહ્યું; કાજીસાહેબ, આ અખરોટ જૂનાં છે, સાતેક વરસનાં અને આ બિલકુલ નવાં છે, આ જ વરસનાં! કાજીએ કહ્યું; હેં આ શું કહો છો તમે? આ શાહુકાર તો કહે છે કે સાત વરસ પહેલાં અલી કોજિયા બરણીમાં આ અખરોટ ભરીને એની વખારમાં મૂકી ગયો હતો. વચમાં કોઇએ એ બરણી ઉઘાડી નથી! કેમ ખરું ને શાહુકાર ? શાહુકારે માથું ઘુણાવી હા કહી. તરત કાજીએ કહ્યું: શું હા? હરામખોર ? બરણી કોઇએ ઉઘાડી નથી તો આ નવાં અખરોટ કયાંથી આવ્યા? કોણે મુકયાં? સાચુ બોલ ! આમ કહી તેણે શાહુકારને ફટકારવા માંડયો. પાંચસાત ફટકા પડતામાં તો શાહુકારે કબૂલ કરી દીઘું: મેં બરણીમાંથી એક હજાર સોનામહોર કાઢી લઇને આ નવાં અખરોટ મૂકયાં છે. કાજીએ હુકમ કર્યો; આ જૂઠા શાહુકારને અત્યારે ને અત્યારે શૂળીએ ચડાવી દો. નાટક પૂરું થયું. છોકરાઓએ આનંદમાં આવી જોરથી તાળીઓ પાડી. આ જોઇ બાદશાહ છક થઇ ગયો. તેની પાસે આજે અલી કોજિયાની અરજી આવી હતી. તેમાં સાક્ષીપુરાવાના અભાવે કાજીએ મહોરો કાઢી લેનાર શાહુકારને છોડી મૂકવાનું જણાવ્યું હતું. જયારે આ નાના છોકરાએ પોતાના બુદ્ધિ બળે તેને ગુનેગાર તરીકે સાબિત કર્યો હતો. બાદશાહે વજીરને કહ્યું; કાજીનો પાઠ ભજવનારા આ છોકરાને કાલે દરબારમાં બોલાવી લાવજો, એની પાસે જ અલી કોજિયાનો ન્યાય કરાવીએ.
પેલા શાહુકારને પણ હાજર કરજો, અલીને પણ તેની અખરોટની બરણી લેતાં આવવાનું કહેવડાવજો. પછી છોકરાની બુદ્ધિની મનમાં તારીફ કરતો કરતો બાદશાહ મહેલે ગયો. બીજે દિવસે દરબાર ભરાયો અલી કોજિયા અને શાહુકાર હાજર થયા. વજીર પણ પેલા છોકરાને તેડીને આવ્યો. બાદશાહ તેને પોતાના આસન પર જગા કરી આપીને બેસાડયો ને કહ્યું; કાલે રાતે તેં અલી કોજિયાનો ન્યાય કર્યો હતો એ જોઇને હું ખુશ થયો છું. હવે એવો ન્યાય અહીં કર! જો આ રહ્યો અલી કોજિયા ને પેલો બેઠો શાહુકાર. છોકરો પહેલાં તો શરમાઇ ગયો, પણ તરત તેણે ટટ્ટાર થઇને કહ્યું; જેવો હુકમ! પછી તેણે અલી કોજિયાને પૂછ્યું; બોલ, તે શાની બરણી શાહુકારને ત્યાં મૂકી હતી? અલીએ કહ્યું; અખરોટની, પણ તેમાં મેં એકહજાર સોનામહોરો મૂકી હતી. હજ કરીને આવ્યો ત્યારે મહોરો ગુમ ને બરણીમાં એકલાં અખરોટ ભરેલાં હતાં. છોકરાએ હસીને કહ્યું; બસ ત્યારે તને તારાં અખરોટ તો પાછા મળ્યાં છે ને ? અલીએ કહ્યું; પણ મારી જિંદગીની થાપણ-મારી એક હજાર સોનામહોરો- વચમાં જ છોકરાએ શાહુકારને પૂછ્યું; કહો, શાહુકાર તમારે આ બાબતમાં શું કહેવાનું છે ? શાહુકારે કહ્યું; અલી સાત વરસ પહેલાં અખરોટની બરણી મારે ત્યાં મૂકી ગયો હતો. જાતે વખારમાં મૂકી ગયો હતો ને જાતે લઇ ગયો હતો. વચમાં કોઇએ એ ઉઘાડી નથી, કોઇ એને અડકયું નથી. છોકરાએ હસીને પૂછ્યું; તમે એનાં અખરોટ તો પાછા આપ્યાં છે ને ? શાહુકારે આનંદમાં આવી જઇ કહ્યું; હા, જી, પૂરેપૂરાં એક પણ ઓછું થયું હોય તો કહે! છોકરાએ કહ્યું; ઠીક, તો લાવો એ બરણી. મારે બઘી ખાતરી કરવી પડશે. તરત અલીએ બરણી રજૂ કરી. પછી છોકરાએ બાદશાહને કહ્યું; અખરોટના બે વેપારીઓને બોલાવી મંગાવો. બાદશાહે સિપાઇને મોકલી બજારમાંથી બે વેપારીઓને તેડાવી મંગાવ્યા. છોકરાએ તેમને બરણી આપીને કહ્યું; આ અખરોટ જૂનાં છે, સાત-આઠ વરસના. બીજો ભાગ બતાવીને કહ્યું; આ તદ્દન નવાં છે, આ જ વરસના. તરત છોકરાએ કહ્યું; અલી, તું કહે છે ને કે તારાં અખરોટ તને પાછા મળ્યાં છે ? પણ એય તને કયાં મળ્યાં છે? પછી શાહુકાર સામે જોઇ તેણે કહ્યું; શાહુકાર, તમે કહો છો ને કે બરણી તમારે ત્યાં કોઇએ ઉઘાડી નથી? તો આ નવાં અખરોટ કયાંથી આવ્યાં? કોણે મૂકયાં? શાહુકાર કાંઇ જ જવાબ ન આપી શકયો. એટલે છોકરાએ બાદશાહને કહ્યું; નામદાર, ગુનેગાર આ રહ્યો. હવે આપે જે શિક્ષા કરવી હોય તે કરો. આખી સભા આ જોઇ દંગ થઇ, સૌ છોકરાની બુદ્ધિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા. પછી બાદશાહે શાહુકારની માલમિલકત જપ્ત કરી તેને દેશનિકાલની સજા કરી. અલી કોજિયાને તેની એકહજાર સોનામહોરો પાછી આપી. છોકરાને પણ સો સોનામહોરો ઇનામમાં આપી તે વખતે પાસે બેઠેલા કાજીને કહ્યું; ઇન્સાફ કેવી રીતે કરવો તે આ છોકરા પાસેથી શીખો. આખા રાજયમાં હારુન-અલ-રશીદના અદલ ઇન્સાફની વાહવાહ બોલાઇ.
-સૌજન્ય: સસ્તું સાહિત્યવર્ઘક કાર્યાલય પ્રયોજક: શિવલાલ જેસલપુરા

આંધળાનો હાથી


કાશીની ઉત્તર દિશામાં એક સુંદર શહેર આવેલું છે. ખાધેપીધે સુખી છે. ખેડખેતરે પૂરું છે. નવાણ-નીરે છલકાતું છે. એમાં રહે છે સાત બુદ્ધિમાનો કાશીએ જઈને ભણી આવ્યા છે. વિદ્યામાં, વિવેકમાં, વિનયમાં એકબીજાને આંટે એવા છે! એકને જુઓ, બીજાને ભૂલો!
એકલી વિદ્યાથી ન ચાલે! વિદ્યાની સાથે વિવેક અને વિનય પણ ખરાં. ભણીએ પણ વિવેક ન જાણીએ તો એ નકામું. વિદ્યા ને વિવેક હોય, પણ વિનય ન હોય તો બેય નકામાં! જૂના વખતમાં એ ત્રણેય સાથે ભણે તે જ પંડિત ગણાય. લોકોને ખબર પડી કે કાશીએ જઈને ભણી આવેલા પંડિતો આવ્યા છે; એટલે સહુનો પડયો દરોડો. સહુ કહે કે અમને તમારી વિદ્યાનું સત્વ કરો. વિદ્યાનું સત્વ એટલે તારણ. દૂધને મેળવી દહીં કરીએ, ને દહીંને વલોવી છાશ જુદી કરી, માખણ તારવી લઈએ એનું નામ સત્વ. સાતે પંડિતો પોતપોતાની વિદ્યાનું સત્વ આપવા લાગ્યા.
પહેલો પંડિત કહે, "દુનિયામાં જ્ઞાન ઉત્તમ છે, જ્ઞાન વગરનું બધું નકામું. ખૂબ જ્ઞાન ભણો, તો જ માનવજીવનનું સાર્થક કરશો," બીજો પંડિત કહે, "જ્ઞાન તો ઠીક; પણ ક્રિયા મોટી ચીજ છે. મોંએથી પાણી પાણી બોલીએ, વળી જ્ઞાનથી આપણે જાણીએ કે પાણી પીધે તરસ છીપે, પણ જયાં સુધી પીવાની ક્રિયા ન કરીએ ત્યાં સુધી બધું નકામું- તળાવે જઈને તરસ્યા આવવા જેવું એ તો કહેવાય!"
ત્રીજો પંડિત કહે, "જ્ઞાન અને ક્રિયા તો ઠીક, પણ તપ મોટી ચીજ છે. કાયાને કષ્ટ ન આપો ત્યાં સુધી દુનિયામાં કંઈ કામ ન સરે." ચોથો પંડિત કહે, "જ્ઞાન, ક્રિયા ને તપ તો ઠીક, પણ જીવનમાં દયાભાવ રાખવો જોઈએ. કહ્યું છે ને, 'દયા ધરમકો મૂલ હૈ'."
પાંચમો પંડિત કહે," જ્ઞાન, ક્રિયા, તપ ને દયાભાવ તો ઠીક, પણ પહેલાં સંસારથી અળગા થઈ સંન્યાસ લેવો જોઈએ. દુનિયાદારી સાથે બહુ સંબંધ રાખો એટલે તો ફસાઈ જ પડો,"
છઠો પંડિત કહે, "એમ સંન્યાસ લઈ તમારે વન-જંગલમાં જવાની જરૂર નથી અરે, કહ્યું છે ને કે, 'સંસારસુ સરસો રહે ને મન મારી પાસ,' ભકિત કરતાં આવડવી જોઈએ. 'મન ચંગા તો કથરોટમાં ગંગા' ભકિત કરો તો જ બેડો પાર થાય."
સાતમો પંડિત કહે, "એ બધું ઠીક, પણ સેવાભાવ રાખો તો એમાં બધું આવી જાય. શાસ્ત્રમાં સેવાધર્મને જ પરમ ગહન કહ્યો છે." આમ મૂંડ મૂંડે જુદી મતિ થઈ! ગામના લોકો ભારે મૂંઝવણમાં પડયા એટલે ગયા રાજા પાસે. એ વેળાએ રાજા બહુ ડાહ્યો ને ચતુર. એણે પંડિતોને બોલાવ્યા, ને કહ્યું કે, ધરમમાં કે તત્વમાં હું કાંઈ ના સમજું વાદવિવાદ કરો ને સાચો કોણ નક્કી કરો. સહુથી શ્રેષ્ઠ ઠરે એ પંડિતને મારા રાજદરબારમાં રાજ પંડિતનું સિંહાસન ને વિદ્યાની મશાલ આપવી છે. એ વખતે સાતે પંડિતો હાથ જોડીને બોલ્યા, "રાજાજી! કહો તે રીતના વાદવિવાદ કરીએ. આપને રુચે તેની વાત માનો, પણ રાજદરબારમાં સિંહાસન મુકાય તો સાતેયનાં મુકાય; ન મુકાય તો એકેયનું નહી!" રાજા કહે, "એમ કે ? તો સાતમાં સાચું કોણ ?"
"સાચું માણસ ને સાચી માણસની માણસાઈ!" સાતે પંડિતોએ કહ્યું, "અમે લડવા ઝધડવા, એકબીજાને નીચા દેખાડવા વિદ્યા ભણ્યા નથી. આ તો અમે જે સમજ્યા એ ન કહીએ તો વિદ્યાના દ્રોહી ઠરીએ. બાકી ધરમ કે તત્વને નામે અમારે કુસંપ કરવા નથી. દુનિયામાં કુસંપથી મોટો કોઈ અધર્મ છે જ નહીં." રાજાએ તો સાતે પંડિતોને પોતાની સભામાં સિંહાસન દીધાં, બધા મતને સરખા ગણ્યા.
એ વાતને એક જમાનો વીતી ગયો. સાથે પંડિતો કાળક્રમે ગુજરી ગયા. રાજા પણ કંઈ અમરપટો લખાવીને આવ્યો નહોતો. નવો રાજા આવ્યો, નવી પ્રજા આવી. સાત પંડિતો ગયા ને સાતે પંડિતોના પુત્રો આવ્યા. એ પણ ખૂબ ભણીગણીને હોશિયાર થઈ આવ્યા- બાપથી સવાયા!
જૂનો રાજા સહૃદય હતો. નવો રાજા બુદ્ધિમાન હતો. બુદ્ધિ અને હૃદય વચ્ચે ઘણો ફેર છે. નવા રાજાને વિચાર થયો કે સાત પંડિતોના સાત સિંહાસનો દરબારમાં ખૂબજ જગ્યા રોકે છે. ઘરડા માણસોને સાદાસીધા એટલે ન સમજે, બાકીતો સાતેમાં જે શ્રેષ્ઠ હોય તેને સિંહાસન આપવું. તેને વર્ષાસન આપવું, તેને રાજગુરુનું પદ આપવું, રાજાએ પંડિતોને નોતર્યા ને કહ્યું કે તમારા સાતમાં કોણ શ્રેષ્ઠ તે નક્કી કરો. જે શ્રેષ્ઠ ઠરશે તેને રાજગુરુનું સિંહાસન મળશે.
સાતે પંડિતપુત્રો મંડ્યા શાસ્ત્રાર્થ કરવા, ચર્ચા કરવા. એ માત્ર વિદ્યા ભણ્યા હતા, અને વિદ્યા તો વાંદરાના હાથમાં આપેલી તલવાર જેવી છે! શત્રુને પણ સંહારે, મિત્રને પણ મારે!
એક પંડિત કહે,"જ્ઞાન સાચું."
બીજો કહે,"ક્રિયા સાચી! મારી ક્રિયા પાસે તારું જ્ઞાન ધૂડ, "
ત્રીજો કહે, "જ્ઞાન ક્રિયાને શું કરવા છે? જીવમાં દયાભાવ જગાડો."
ચોથો કહે, "તપ-જપ એ જ સાચું; તે સિવાય બધુ નકામું."
પાંચમો કહે, "એ તો માથું મુંડાવો ને સંન્યાસી બનો તો સાચું સૂઝે."
છઠ્ઠો કહે, " ભકિત પદારથ ભૂતલમાં સાચો. માટે ભકિત કરો."
સાતમો કહે, " સેવા કરો ભાઈ, સેવા ! તો મળે મેવા!"
આમ સાતે પંડિતોમાં 'તું તું ને મેં મેં' થઈ રહ્યું. ક્યાં બાપ ને કયાં બેટા! વિવેક અને વિનય વિનાની વિદ્યા તે આનું નામ! હવે તો ગદ્ધાપૂંછ પકડયા જેવી વાત થઈ: ન મુકાય, ન લેવાય! પછી તો દુનિયામાં બને છે તેમ, બધા કેશંકેશા, લોચંલોચા, મુષ્ટંમુષ્ટા, પાટંપાટા, બાથંબાથા આવી ગયા! સાતેય એવા લડ્યા, એવા આખડ્યા કે દિવસો ઉપર દિવસો વીતી ગયા, પણ, કંઈ નક્કી ન થયું; અને ઉલટો પાડાખાર વધી પડયો.
આખરે રાજા કહે, "હવે તો તમે હદ કરી! તમે તમારે ઘેર જાઓ ને ત્યાં બેસી ચર્ચા કરો. નિર્ણય કરીને પછી રાજસભામાં આવજો."
પંડિતો ઘેર આવ્યા. વાદવિવાદ તો ચાલુ જ હતો. લોકોને તો તમાશો થયો. તમાશાને કંઈ તેડાં હોય? લોકો ખૂબ એકઠા થવા લાગ્યા. લોકોનાં ટોળાં જોયાં, એમ પંડિતોને શૂરાતન વ્યાપ્યું. ઘર રણમેદાન બની ગયું. પછી શેરીની મોકળાશમાં બેસીને તેઓ ચર્ચા કરવા લાગ્યા. પછી મહોલ્લામાં બેસી ગાજવા લાગ્યા.
ખરેખરી હરીફાઈ જામી. જ્ઞાનવાદી પંડિતે તો બેચાર પૈસાદરને સાધ્યા. એ બિચારા તો ઉઠાં સુધી ભણેલા. પણ કીર્તિ કોને વહાલી નથી? પંડિતે તેમને વખાણવા માંડ્યા. એ તો ફૂલાયા, એમણે ખૂબ ખર્ચ કરીને મોટું ભવન બાંધ્યું; સરસ્વતીની મૂર્તિ મૂકી, પૂજા શરૂ કરી. બીજા પંડિતે બીજા શ્રીમંતને સાધ્યા. એની મદદથી મોટું ભવન બાંધ્યું ને શક્તિની મૂર્તિ મૂકી. ભોગ, વૈભવ વહેંચવા માંડયા. ત્રીજાએ વળી સદાવ્રત ખોલ્યું. આખો દિવસ ભિખારાંને સાધુ-બાવાઓથી સદાવ્રત ગાજી રહ્યું. ચોથાએ સંન્યાસીઓની ટુકડી ખડી કરી. એમ સહુએ પોતાનાં જુદાં ભવન, જુદાં શાસ્ત્ર, જુદી મૂર્તિઓ બનાવી. સહુએ એકબીજાથી જુદા પડવા માટે કપડાં બદલ્યાં. કોઇએ વળી કપાળમાં નવાં નવાં ચિહ્નો કર્યા. દુનિયા તો એવી છે, કે ઝુકાવનાર હોય તો ઝુકનાર મળી જ રહે. સહુને પોતપોતાના ભક્તો મળી રહ્યા. વાત મમતની હતી. મમતે ચઢેલો માનવી સોનાની જાળને પણ પાણીમાં નાંખે, કરોડની વસ્તુ કોડીના ભાવે આપી દે, કોડીની ચીજ કરોડમાં ખરીદે. મમત ભારે બૂરી ચીજ છે! મમત વાળો માને છે કે, "મારૂં એ સાચું." પણ 'સાચું એ મારૂં' એમ માનતો નથી. આજ સુધી ગામ એક સંપીલું હતું, એમાં સાત ભાગલાં પડ્યા. એક ભાગ બીજા ભાગને દરેક વાતને હલકો પાડવા મહેનત કરવા લાગ્યો. વાદવિવાદમાંથી લડાઇઓ જાગી, આડંબરો વધવા લાગ્યા. ઇર્ષ્યા વધવા લાગી, એકબીજાનાં છિદ્રો શોધાવા લાગ્યાં.
એકનાં ભજનભાવમાં બીજો જઇને સાપ નાખી આવે. એકના સદાવ્રતમાં બીજો જઇને છાનોમાનો મીંઢીઆવળ નાખી આવે, કે જેથી બિચારા ખાનારને ઝાડા થાય. એક જણ એક જમણ કરે તો બીજો ત્રણ-ચાર જમણ કરે; ત્રીજો વળી બાર કરે, કોઇને નાના બાપના થવું ન ગમે! જેની પાસે કંઇ ન હોય એ કહે કે, આ જમણ જમવાં પાપ છે. બધા નરકે જવાના ધંધા! અરે, ખાધે તે કલ્યાણ થતાં હશે! ઉપવાસ કરો, વ્રત કરો, વરતોલાં કરો. સારાંશમાં, એકની સાચી વાતને પણ બીજો જૂઠી ઠરાવે. એકવાર તો મામલો એટલો બધો તંગ બન્યો કે ક્રિયાવાદી પંડિતના જૂથે આવેશમાં અંધ બની જ્ઞાનવાદી પંડિતના જૂથના માથાં કાપ્યાં. જ્ઞાનવાદી પંડિતો કહેવા લાગ્યા કે, આ રીતે મરનારા સીધા સ્વર્ગમાં જશે. આ તો ધર્મ માટે મૃત્યુ! ખૂબ ઉત્તમ! ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય! રાજાને આ વાતની ખબર પડી એટલે એણે સાતે પંડિતોને બોલાવ્યા; આંખ લાલચોળ કરીને તેમને હુકમ કર્યો, "મારી હાજરી સિવાય અને રાજદરબાર સિવાય તમારે ક્યાંય ચર્ચા ન કરવી; કરશે એને કાંધ મારીશ." પંડિતો આકાશના રાજા કરતાં પૃથ્વીના રાજાથી વધુ ડરનારા હતા. હવે પંડિતોને મોઢે તાળાં વસાયાં. મરવાની બીકે એમની બોબડી બંધ થઇ ગઇ. જે મત ખાતર મરીને શિષ્યો સ્વર્ગમાં ગયા, એ મત ખાતર મરીને સ્વર્ગે જવું એમને ન ગમ્યું. 'પરોપદેશે પાંડિત્ય' તે આનું નામ! રાજાની આંખ લાલ અને રાજાના કડક હુકમથી પંડિતોને જરા અપમાન જેવું લાગ્યું. અરે! આપણે તો રાજાના ગુરૂ! છતાં રાજા આપણને હુકમ કરે? ધમકાવે? એકે રાજાના હુકમ સામે માથું ઉંચક્યું તો બીજો પંડિત રાજાને વહાલો થવા ગયો. બીજો ગયો ત્યાં ત્રીજો દોડ્યો. કોઈ રાજાને, તો કોઈ મંત્રીને, કોઈ દીવાનને તો કોઈ કોટવાળને ધર્મભક્તિને નામે પોતાનાં પક્ષમાં લેવા દોડાદોડ કરવા લાગ્યા. રાજાને જાણ થઇ, એટલે તેણે કહ્યું, "શું તમારો મોટાઇનો ઝઘડો રાજદરબારમાં ઘાલવો છે? હું તો માનતો હતો કે ભલે સાત સરવાણી હોય, પણ છે તે એક ગંગાજીની જ ને! પણ આ તો તમે ભૂંડની જેમ ખાબોચિયાં ઉલેચવા માંડ્યાં છે! આજથી તમારાં સાતે સિંહાસન દરબારમાંથી રદ કરૂં છું." લાખના પંડિતો ટકાના ત્રણ શેર થઇ ગયા. હવે એમની આંખો ખૂલી, પણ આ તો ગદ્ધાપૂંછ! ઝાલ્યું કેમ છૂટે? બનવાકાળ કે એ ગામમાં એક મહાજ્ઞાની ગુરૂ પધાર્યા. જંગલમાં રહે, સહેજમાં મળે તો ખાય. આખો દિવસ ધ્યાનમાં મસ્ત રહે. બધા પંડિતો જુદા જુદા એ ગુરૂ પાસે પહોંચ્યાં. એમના મનમાં એમ કે ગુરૂ પાસે પોતાનો મત સાચો ઠેરવી લઇએ, પછી જોઇ લેવાશે ! રાજા પણ પંડિતોના ઝઘડાથી કંટાળ્યો હતો. એ પણ ગુરૂ પાસે પહોંચ્યો. ગામલોકોએ રોજના લેવા-દેવા વગરના આ ઝઘડાથી કંટાળ્યા હતા. તેઓ પણ ત્યાં આવ્યા. પંડિતોએ, રાજાએ, લોકોએ ગુરુને પ્રશ્ર્ન પૂછયો, હે ગુરુદેવ' આ બઘામાં કયા પંડિતનો મત સાચો છે?" ગુરુજી જાણકાર હતા. એમણે ન શાસ્ત્ર કાઢ્યાં, ન વિવાદ કર્યા. સામાન્ય વાત કરતા હોય તેમ કહ્યું," તમારા ગામમાં અંઘ માણસો કેટલા છે?" લોકો કહે, "સાત જણા તો સાવ જન્મથી અંઘ છે, બાકી કોઇ રોગથી, કોઇ અકસ્માતથી, કોઇ મારામારીથી-એમ અંઘ થયેલાંનો તો સુમાર નથી." ગુરુ કહે, "એ સાતે જન્માંધોને બોલાવો." રાજાનો હુકમ છૂટયો એટલે થોડીવારમાં સાતે આંધળા હાજર થયા. ગુરુજીએ કહ્યું, રાજાજી, ગજશાળામાંથી એક હાથી મંગાવો." તરત જ હાથી આવ્યો. હાથી આવ્યો એટલે ગુરુએ જન્માંધોને પૂછયું, "ભાઇઓ, તમે હાથી જોયો છે?" અંધો કહે, અમે તો જન્મથી અંધ છીએ, હાથી કયાંથી જોયો હોય?" ગુરુ કહે "એના વિશે સાંભળ્યું છે?" આંધળા કહે, ના, બાપજી !" ગુરુ કહે, "ચાલો ત્યારે, તમને બતાવું, પછી તેઓ એક અંધને હાથીની સૂંઢ પાસે લઇ ગયા. કહ્યું કે, આ હાથી છે, એને અડો. બીજાને પગ પાસે લઇ જઇને ઉભો રાખ્યો. ત્રીજાને પૂંછડા પાસે, ચોથાને કાન પાસે, પાંચમાને દંતશૂળ પાસે, છઠ્ઠાને પેટ પાસે ને સાતમાને ગંડસ્થળ પાસે ઉભો રાખીને કહ્યું કે, હાથીને બરાબર જોઇ તપાસી લો."
થોડીવારે ગુરુએ પૂછ્યું, "કહો ભાઇઓ ! હાથી કેવો?" સૂંઢ ઝાલનાર અંધ કહે, ગુરુજી ! હાથી અજગર જેવો છે."
ત્યાં તો પૂંછડું ઝાલનાર અંધ કહે," અજગર જેવો તો નહીં, પણ દોરડા જેવો છે." ત્યાં તો કાન ઝાલનારે કહ્યું,"અલ્યા આંખોના આંધળા તો છો, સાથે અક્કલના પણ અંધ છો? હાથી તો ચોખ્ખો સૂપડા જેવો છે." ત્યાં તો ગંડસ્થળ પર બેઠેલો નીચે કૂદ્યો ને ઝનૂનમાં બોલ્યો, "ઓ મૂર્ખાઓ, હાથી તો માટલા જેવો છો." ત્યાં તો પેલો પેટવાળો અંધ બરાડી ઉઠયો. કહે, "અરરર! તમારા બધાનું ખસી ગયું લાગે છે. હાથી તો ખાસ્સો મશક જેવો છે." તો પેલો પગ ઝાલનારો અંધ કહે, " તમારા બધાની આંખ સાથે અક્કલ પણ ફૂટી ગઇ લાગે છે. હાથી તો થાંભલા જેવો છે." ત્યાં તો પેલો દંતશૂળ ઝાલનારો કહે, "ફૂટી તો આપણા બધાની ગઇ છે, બાકી મેં પાકી ખાતરી કરી છે, કે હાથી લાકડા જેવો છે." બધાને લાગ્યું કે ગુરુએ તો વળી નવો ઝઘડો ખડો કર્યો ! એક તો ઝઘડો હતો જ, ત્યાં આ બીજો જાગ્યો ! પણ ના, એ તો સમજાવવાની નવી રીત હતી. એ તો આડે લાકડે આડો વેહ ! સાચા ગુરુની ખૂબી જ એ છે ! સાતે આંધળા લડવા માંડયા, એટલે ગુરુએ સહુને શાંત પાડતાં કહ્યું," તમારા રાજા તમને કહેશે કે હાથી કેવો છે." રાજા કહે, "હાથી સૂપડાંના જેવા કાનવાળો, સાપના જેવી સૂંઢવાળો, દોરીના જેવા પૂંછવાળો, માટલા જેવા ગંડસ્થળવાળો, મશક જેવા પેટવાળો, થાંભલાના જેવા પગવાળો ને લાકડાંના જેવા દંતશૂળવાળો છે." બધા આંધળા એકદમ બોલી ઉઠ્યા,"તો અમે શું હાથીનું એક-એક અંગ ઝાલ્યું હતું? તો પછી અમારી સાતેની વાતો અમૂક અંશે સાચી હતી ને અમૂક અંશે ખોટી હતી? શું અમે નાહકના ઝઘડ્યા?" આમ આંધળાઓ અફસોસ કરવા લાગ્યા ત્યારે ગુરૂ બોલ્યા, "ભાઇઓ! તમે તો અંધ છો, તમને જોવા આંખો નથી; પણ જેઓને જોવા માટે કુદરતે દીવા જેવી આંખો આપી છે, તેઓ જ્યારે મોટાઈથી અંધ બનીને લડે છે ત્યારે કોને દેખતા કહેવા ને કોને આંધળા કહેવા એની ભારે વિમાસણ થઇ જાય છે." વાહ ગુરૂ વાહ,! ખરું સમસ્યામાં સમજાયું. પંડિતો આખરે તો જ્ઞાની હતા ને! તેઓ પોતાની ભુલ સમજ્યા, પણ તે કેવા? વાઢો તો લોહી ન નીકળે! તેઓ ગુરૂના ચરણમાં પડ્યા ને બોલ્યા, "અમે પણ છતી આંખે આંધળા બન્યા, છતી અક્કલે મૂર્ખ બન્યા. છતે જ્ઞાને અજ્ઞાની બન્યા, માણસાઈરૂપી આખા હાથીને જ વિસરી ગયા, ને પૂંછ કે પગ ઝાલી મંડ્યા લડવા-ઝઘડવા. જ્યાં ઝઘડો ત્યાં ધર્મ નથી, એ અમે ન સમજ્યા." ગુરૂ કહે, "ભાઇઓ ડાહ્યા ભૂલે ત્યારે આખી ભીંત ભૂલે. ભલે તમને સૂઝે તે દેશકાળને અનુસરતા તમારા મત સ્થાપો, પણ માણસાઇરૂપી હાથીને કદી ન ભૂલશો. કોઇ એક અંગમાં જ્ઞાન પણ સાચું છે, ક્રિયા પણ સાચી છે, તપ, સદાવ્રત સેવાને સંન્યાસ પણ સાચા છે. છતાં એ વાત ન ભૂલશો કે એ બધાં માણસાઈના અંગ છે. માણસાઈમાં એ બધું આવી જાય. માણસાઈ જાય ત્યાંથી એ બધું જાય." બધા પોતાની ભૂલ સમજ્યા, ને બગડેલી બાજી સુધારવા લાગી ગયા.

- જયભિખ્ખુ

કાચો ઘડો


ગંગાના ત્રિવેણી ઘાટ ઉપર એક ગૂરૂકુળ હતું. સોમ શર્મા ગૂરૂકુળના આચાર્ય હતા. સોમ શર્મા મહા પંડિત હતા. એમને ત્યાં ઘણાં વિઘાર્થીઓ ભણવા આવતાં.પૂરેપૂરી વિદ્યા ભણી રહે ત્યાં સુઘી ત્યાં જ રહેતા. કાશીના રાજાએ પોતાના કુમારને પણ ભણવા મોકલ્યા.બઘા વિઘાર્થીઓ સાથે કુમાર રહે છે અને ભણે છે.એમ ભણતાં ભણતાં બેચાર વર્ષ વીતી ગયાં.કુમારની સામે બીજા વિઘાર્થીઓ ભણતા હતા. તે બઘા આગળ નીકળી ગયા. કુમાર પાછળ રહી ગયા.
તે પુરાણા સમયમાં વર્ગો નહોતા.પરીક્ષા પણ નહોતી લેવાતી. વિઘાર્થી પોતાના વિષયમાં પાકો થઇ જાય એટલે આગળ જાય.જેનો વિષય કાચો રહે તે પાછળ રહી જાય. કુમારે ગુરૂ સોમ શર્માને પ્રણામ કરીને કહ્યું, મારે એક વિનંતી કરવી છે. હું અભ્યાસમાં પાછળ રહી જાઉં છું.આપ મને તેનો ઉપાય બતાવો. ગુરૂએ કહ્યું,ઉપાય સરસ છે.જાઓ, કોરો ઘડો લઇ આવો. ઘડો લઇને ગંગાજીએ જાઓ.ગંગાજળ ભરીને લઇ આવો. કુમાર ગંગા કિનારે ગયા. ગંગાજળ ભરીને પાછો લાવ્યા ગુરૂએ કહ્યું, જુઓ,પેલા ખુણામાં બીજો એક ઘડો છે તે લઇ જાઓ,ભરીને પાછો લાવો. કુમાર ઘડો લઇને ગયા. ગંગાજળમાં બોળ્યો. બોળતાંની સાથે જ પલળી ગયો. ઘડો કાચી માટીનો હતો. પલળીને લોચો થઇ ગયો.ઓગળીને ગારો બની ગયો .કુમાર પાછા ગયા. ગુરૂએ પૂછ્યું, કેમ કુમાર ઘડો લઇ આવ્યા? કુમારે કહ્યું; ગુરૂદેવ; એ તો કાચી માટીનો ઘડો હતો. તે પલળતાં જ ઓગળીને લોચો થઇ ગયો. ગુરૂ શર્મા બોલ્યા,એનું કારણ એ કે માટીનો કાચો ઘડો પાણીને રોકી શકતો નથી. તેથી તેમાં પાણી ટકતું નથી પણ ઘડાનો નાશ કરે છે. તેમ કાચા મનથી વિદ્યા ભણો તે પણ મનમાં ટકતી નથી.ઘડા જેવું પાકું મન જોઇએ.પાકા મનથી વિદ્યા ભણો તો જ ટકી રહે. કુમાર વિચારમાં પડયા કે, કાચું મન એટલે શું? ગુરૂએ કહ્યું, કાચું મન એટલે ધ્યાન વિના ભણવું તે..એક ધ્યાન થઇને ભણવું તે પાકું મન ગણાય. જે ભણીએ તે ધ્યાનથી શીખીએ. બીજી કોઇ વાતમાં મન રાખીએ નહીં તો વિદ્યા ટકે છે. તમે એવું ધ્યાન રાખતા નથી અને ભણો છો. કુમાર સમજી ગયા. તે દિવસથી પૂરું ધ્યાન આપે અને ભણે છે. એકવાર ન આવડે તો બીજીવાર સમજે છે.આમ ભણવાથી થોડા મહિનામાં બઘાની સાથે થઇ ગયા.

- જીવરામ જોષી

ત્રણ રીંછની વાર્તા


એક જંગલ હતું. એમાં ત્રણ રીંછ રહેતાં હતાં. એક મોટું ,એક વચલું અને એક નાનકુંક .એમણે એક ઘર જોયું.એમને થયું,આપણે પણ ઘર બનાવીએ. લાકડાં કાપ્યાં,માટી લીધી,પાણા લીધા. એક ઘર બનાવ્યું.લાકડાનું ઘર બનાવ્યું.એમાં બે ઓરડાં કર્યાં. એક રસોડું કર્યું.એક ઓરડામાં ત્રણ ખાટલા મૂક્યા.એક મોટો,બીજો વચલો અને ત્રીજો નાનકોક.બીજા ઓરડામાં ત્રણ ટેબલ મૂક્યાં.એક મોટું,બીજું વચલું અને ત્રીજું નાનકુંક. ટેબલ પાસે ત્રણ ખુરશી મૂકી.એક મોટી,બીજી વચલી,ત્રીજી નાનકીક,ટેબલ ઉપર વાટકા મૂક્યાં.એક મોટો ,બીજો વચલો અને ત્રીજો નાનો.વાટકામાં ત્રણ ત્રણ ચમચા મૂક્યાં.એક મોટો ,બીજો વચલો અને ત્રીજો નાનો. રીંછ કહે રસોઇ કરીએ,રસોડામાં રસોઇ કરી.રાબ બનાવી.ગોળ નાખીને રાબ બનાવી.ગળી ગળી રાબ બનાવી.રાબને વાટકામાં નાંખી વાટકા ટેબલ ઉપર મૂક્યા.પછી કહે,રાબ ગરમ છે,બહુ ગરમ છે.ચાલો,જરા ફરી આવીએ,પછી ખાશું. ત્રણ રીંછ ફરવા ગયા.ટપ ટપ ટપ કરતાં ફરવા લાગ્યા. બાજુમાં એક ઘર હતું.એમાં એક નાની છોકરી રહેતી હતી.એ ફરવા નીકળી.એણે રીંછનું ઘર જોયું. એ કહે,ચાલો ને ,રીંછભાઇ સાથે રમવા જઇએ.ઘર આગળ જઇ કહે,બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.પણ કોણ ઉઘાડે? અંદર તો કોઇ ન હતું.છોકરીએ બારણાને ધક્કો માર્યો.બારણું ઉઘડી ગયું.છોકરી અંદર ગઇ.
પહેલાં ઓરડામાં ખાટલા હતા.ખાટલા માથે ગાદલાં હતાં.ગાદલાં માથે ઓછાડ હતાં.ઓશીકાં પણ હતાં.ઓઢવાની ચાદર હતી.છોકરી કહે ચાલો,ખાટલા ઉપર ચડીએ.ભાઇ,આ તો બહુ મોટો ખાટલો.આના પર કેમ ચડાય?આ યે મોટો આના ઉપર ન ચડાય.આ નાનકોક છે.આ મારો ખાટલો. ચાલો,બીજા ઓરડામાં જોઇએ.જોઇએ તો ખરા. છોકરી બીજા ઓરડામાં ગઇ.એમાં ત્રણ ટેબલ,ત્રણ ખુરશી.ભઇ,આ તો બહુ મોટી ખુરશી.આના ઉપર ન ચડાય.આ યે મોટી. ના નાનકીક છે.ચાલો ખુરશી ઉપર બેસીએ. છોકરી બેઠી.આ શું છે? આ તો રાબ લાગે છે. લાવો ખાઇએ. છોકરીએ ચમચો લીધો.ચમચામાં રાબ લીધી.ખાધી.ગળી-ગળી,સરસ લાવો ખાઇએ. આ તો ભાવે,છોકરી બધી રાબ ખાઇ ગઇ.હાશ, હવે જરા આરામ કરીએ.
પહેલાં ઓરડામાં ગઇ.નાનકોક ખાટલો હતો ને?એમાં સૂઇ ગઇ.ઓઢીને સૂઇ ગઇ. ત્યાં તો રીંછ પાછા આવ્યા.ફરીને પાછા આવ્યાં.ટપ ટપ ટપ કરતાં પાછાં આવ્યાં. ચાલો ચાલો,ભૂખ લાગી છે.રાબ ખાઇએ. ખુરશીમાં બેઠાં.મોટું કહે,આ ટેબલ કોણે હલાવ્યું?વચલું કહે મારા ટેબલને કોણ અડ્યું છે?નાનું કહે,મારી રાબ કોણ ખાઇ ગયું?એણે તો બૂમ પાડી.બોલો રાબ કોણ ખાઇ ગયું? છોકરી જાગી ગઇ.જુએ તો રીંછ. રીંછ બૂમ પાડે છે.છોકરી બોલી,ભાગો,ભાગો,બારીમાંથી કૂદીને ભાગી. રીંછ જોઇ ગયું.પાછળ દોડ્યું.બારણું ઉઘાડો,બારણું ઉઘાડો,તમારી છોકરી મારી રાબ ખાઇ ગઇ છે.એને મારવી છે.બા કહે,અરે રીંછભાઇ,બહેનને મરાય? એ તો તમારી સાથે રમવા આવી હતી.તમે ન હતા.ભૂખી હતી,તે રાબ ખાધી.તમારી સાથે રમવા ન આવે? રીંછ કહે,એમ! મારી સાથે રમવા આવી હતી? ભલે આવે.તો તો મને ગમે.અમે સાથે રમીએ,અમે સાથે જમીએ,કેવી મજા ! ભલે તો આવજો. છોકરી કહે,આવજો રીંછભાઇ! હું રમવા આવીશ. આવજો,આવજો.
- ડોલરરાય માંકડ

પારસમણિ


વૃન્દાવનમાં, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યા.
સનાતન પૂછ્યું: ક્યાંથી આવો છો, ભાઈ? તમારું નામ શું? બ્રાહ્મણ બોલ્યો: મહારાજ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુ:ખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રિએ મને સ્વપ્નમાં જાણે કોઇ દેવ કહી ગયા: યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઇને યાચના કરજે, તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના. સનાતન બોલ્યો: બેટા! મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું? જે હતું તે ફેંકી દઈને ફક્ત આ ઝોળી લઇને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં! હાં! મને યાદ આવે છે. એક દિવસ કોઇને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે. જા ભાઇ! એને લઇ જા. તારું દુ:ખ એનાથી ફીટવાનું. તને અપાર દોલત મળવાની. પારસમણિ! આહા! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢ્યો. પોતાના લોઢાના માદળિયાને મણિ અડકાડે છે ત્યાં તો માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈં કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા. સૂર્યાસ્ત સામે નજર કરી. બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની મહેલાતો ઉપર. એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાતન એને ઘણી ઘણી વાતો સાંભરી આવી. દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડ્યો. આંખમાં આંસુ લાવીને ગદ્ ગદ્ સ્વરે બોલ્યો: અખૂટ સમૃધ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઇએ. આ મણિ ન ખપે. એમ બોલીને એણે નદીનાં ઉંડા પાણીમાં મણિ ફેંકી દીધો. મણિ દેનાર અને મણિ લેનાર બંને જીતી ગયા.
- ઝવેરચંદ મેઘાણી

ઠાગાઠૈયા કરું છું



એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાંને દોસ્‍તી થઇ.
કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો. કાબરે કાગડાને કહ્યું; કાગડાભાઇ, કાગડાભાઇ ચાલોને આપણે ખેતર ખેડીએ? દાણાં સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઇએ.
કાગડો કહે : "બહુ સારું: ચાલો." પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્‍યાં
થોડી વાર થઇ ત્‍યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુવારને ત્‍યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો! કાબરબાઇ તમે ખેતર ખેડતાં જાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે : "ઠીક."
પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્‍યું પણ કાગડાભાઇ આવ્‍યા નહિ. કાગડાભાઇની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર ત્‍યાં બેઠા બેઠા લુહારની સાથે ગપ્‍પાં મારવા લાગ્‍યા.
કાબર તો કાગડાની રાહ જોઇ થાકી ગઇ, એટલે કાગડાને બોલાવવા ગઇ. જઇને કાગડાને કહે કાગડાભાઇ, કાગડાભાઇ ચાલોને? ખેતર તો ખેડાઇ ગયું હવે આપણે વાવીએ !!
કાગડો કહે :
"ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું જાવ,કાબરબાઇ આવું છું"
કાબર પાછી ગઇ અને એણે તો વાવવાનું કામ શરુ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્‍યો. થોડા દિવસોમાં એ એવો તો સુંદર નીકળ્યો કે બસ!
એટલામાં નીંદવાનો વખત થયો એટલે વળી કાબરબાઇ કાગડાને બોલાવવા ગઇ. જઇને કાગડાને કહે "કાગડાભાઇ, કાગડાભાઇ ચાલો ચાલો, બાજરો બહુ સારો ઉગ્‍યો છે. હવે જલદી નીંદવું જોઇએ, નહિતર માલને નુકસાન થશે."
આળસુ કાગડાએ ઝાડ પરથી કહ્યું;
"ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવુ છું, જાવ,કાબરબાઇ આવુ છું"
કાબર તો પાછી ગઇ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્‍યું. વખત જતાં કાપણીનો સમય આવ્‍યો એટલે કાબર વળી કાગડાભાઇને બોલાવવા ગઇ, જઇને કાગડાને કહે "કાગડાભાઇ હવે તો ચાલો? કાપણીનો વખત થયો છે. મોડુ કાપશું તો નુકશાન થશે"
લુચ્‍ચા કાગડાએ કહ્યું;
"ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું જાવ, કાબરબાઇ આવું છું"
કાબરબાઇ તો નિરાશ થઇ પાછી ગઇ. અને ખિજાઇને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.
પછી તો કાબરે બાજરાનાં ડૂંડામાંથી બાજરો કાઢયો. અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂસાનો ઢગલો કર્યો, અને ઉપર થોડોએક બાજરો નાખ્‍યો. પછી તો કાગડાને બોલાવવા ગઇ. જઇને કહે "કાગડાભાઇ હવે તો ચાલશો ને? બાજરાના ઢગલા તૈયાર કર્યાં છે. તમને ગમે તે ભાગ તમે રાખજો." વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઇ ફુલાઇ ગયા.
તેણે કાબરને કહ્યું; "ચાલો બેન તૈયાર જ છું હવે ચાંચ બરાબર થઇ ગઇ છે." કાબર મનમાં બોલી "ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઇ," પછી કાગડો અને કાબર ખેતરે આવ્‍યાં. કાબર કહે "ભાઇ, તમને ગમે તે ઢગલો તમારો". પછી કાગડાભાઇ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા ઉપર જઇને બેઠા. પણ જયાં બેસવા જાય ત્‍યાં ભાઇશા'બના પગ ઢૂંસામા ખૂંતી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસા ભરાઇ ગયાં અને કાગડાભાઇ મરણ પામ્‍યા.
પછી કાબરબાઇ બાજરો પોતાના ઘેર લઇ ગઇ અને ખાધું પીધું ને મોજ કરી.
ગિજુભાઇ બધેકા.

Have You Seen God?


Described by Sri Aurobindo as the “the soul of puissance if ever there was one, a very lion among men,” he who came to be known the world over as Swami Vivekananda, lived for only 39 years. He was born on January 12, 1863, and named Narendra Nath. His father Vishwanath Datta was a well-known Calcutta attorney, and his mother, Bhuvaneshwari, was known as a highly intelligent woman. Narendra Nath’s early years were spent in a home characterized by purity and truthfulness. In this boyhood, Narendra showed remarkable capacities of intellect, powers of concentration and qualities of courage, self-confidence and resourcefulness. While still in his teens and studying in college, he was greatly influenced by science and logic. He was at that time skeptical, and yet he had a great yearning in his heart to touch something absolutely perfect.

This burning quest in this spirited and fearless young man drove him to seek from those who claimed to be God-knowers and God-lovers the answer to one question: Have you seen God?No one gave him a satisfactory answer. Then one day some friends took the skeptical Narendra to the Kali Temple at Dakshineshwar, some miles from Calcutta, to see someone who was known to be a “Godman”. The first meeting between Narendra Nath and Sri Ramakrishna was momentous. First, Narendra sang a few devotional songs and, as usual, poured his soul into them. Suddenly, Sri Ramakrishna took his hand and drew him into the adjacent room. When they were alone, the Master began to shed tears of joy and said, “Ah, you have come so late! How unkind of you to keep me waiting so long! My ears are almost seared listening to the cheap talk of worldly people. Oh! how I have been yearning to unburden my mind to one who will understand my thought!” Then with folded hands he went on: “Lord! I know you are the ancient sage Nara – The incarnation of Narayana – born on earth to remove the miseries of mankind.” Recalling this moment, Swami Vivekananda described his own reaction: “I was altogether taken aback by his conduct; ‘Who is this man whom I have come to see?’ I thought, ‘he must be stark mad!’ ”

Nevertheless, Sri Ramakrishna extracted from Narendra a promise to return to Dakshineshwar. Then they went back into the other room. It was at this point that Narendra Nath asked his question to the Master: “Sir, have you seen God?” The reply was immediate: “Yes, I have seen God. I see Him as I see you here, only much more clearly. God can be seen. One can talk to him. But who cares for God? People shed torrents of tears for their wives, children, wealth, and property, but who weeps for the vision of God? If one cries sincerely for God, one can surely see Him.” That answer impressed Narendra at once:

For the first time I found a man who dared to say that he had seen God, that religion was a reality to be felt, to be sensed in an infinitely more intense way than we can sense the world. As I heard these things from his lips, I could not but believe that he was saying them not like an ordinary preacher, but from the depths of his own realization… “He may be a madman,” I thought, “but only the fortunate few can have such renunciation. Even if insane, this man is the holiest of the holy, a true saint, and for that alone he deserves the reverent homage of mankind!”

During his second visit, Narendra had an even stranger experience. Sri Ramakrishna called him to sit by his side and in an ecstatic mood muttered some words and placed his right foot on Narendra’s body. “With my eyes open,” Swami Vivekananda recalled, “I saw that the wall, and everything in the room whirled rapidly and vanished into naught, and the whole universe together with my individuality was about to merge in an all encompassing mysterious void!” Narendra was terrified and cried out, “What are you doing to me? I have my parents, brothers, and sisters at home.” Then Sri Ramakrishna laughed and stroked the young man’s chest, and the experience vanished as quickly as it had come.

Narendra was tremendously puzzled by these experiences and was angry with himself for having succumbed to the influence of a “madman”. But what the sceptic in him refused proved irresistibly fascinating to another part of his character, and Narendra returned again and again to Dakshineshwar. On his part, Sri Ramakrishna described these early days of their relationship as being particularly painful to him: “I felt such a constant agonizing desire to see him! At times the pain would be so excruciating that I felt as if my head were being squeezed like a wet towel. I cried, O my darling, come to me! I cannot live without seeing you.” If Narendra failed to come to him for some days, he would become disconsolate. He would weep and pray to the Divine Mother, begging Her to make him come.

Their relationship continued in this way for some time. Narendra was a born idealist and seeker of truth, but his mind was intensely analytical and he subordinated his imagination to the demands of reason. Although his visits to Sri Ramakrishna were marked by overwhelming inner experiences, his great respect for Western material science and its processes made him want to test each of these experiences, and he would accept only those that he felt stood the test. He yearned for Truth, but would not believe anything merely through blind devotion. He needed direct vision to allay his doubts.

Later Sri Ramakrishna admitted that he was glad at heart that Narendra was a rebel; “without intellectual questioning and struggle,” he said, “no one can arrive at full illumination.” It was only after a series of powerful, undeniable experiences that Narendra accepted Sri Ramakrishna as his Master. But before his final surrender, Narendra Nath was to pass through a long period of suffering in his personal life. He had grown up in relative luxury, with few material worries. Then his father suddenly died. When the estate was settled, the family found itself poor. Narendra, being the eldest son, was faced with the responsibility of supporting his mother, brothers and sisters. The hardship of these days drove Narendra almost to despair. He even expressed bitter doubts as to the existence of a God who could be author of such pain and evil. But these dark days also triggered an experience that would mark a decisive turning point in his life. This is how he described it:

One day the idea struck me that God listened to Sri Ramakrishna’s prayers; so why should I not ask him to pray for me for the removal of my pecuniary needs?... I hurried to Dakshineshwar…. He said, “My boy, I can’t make such demands. But why don’t you go and ask the Mother yourself? All your sufferings are due to your disregard of Her.” I said, “I do not know the Mother; you please speak to Her on my behalf. You must.” He replied tenderly, “My dear boy, I have done so again and again. But you do not accept Her, so She does not grant my prayer. All right… go to the Kali temple tonight, prostrate yourself before the Mother, and ask Her any boon you like. It shall be granted. She is Knowledge Absolute, the Inscrutable Power of Brahman. By Her mere will She has given birth to this world. Everything is in Her power to give. “I believed every word and eagerly waited for the night… As I went I was filled with a divine intoxication… Reaching the temple as I cast my eyes on the image I actually found that the Divine Mother was living and conscious… I was caught in a surging wave of devotion and love. In the ecstasy of joy I prostrated myself and prayed, “Mother, give me discrimination! Give me renunciation. Give me knowledge and devotion! Grant that I may have the uninterrupted vision of Thee!” As soon as I returned, the Master asked me if I had prayed to the Mother for the removal of my worldly needs. I was startled at this question and said, “No, Sir, I forgot all about it…” “Go again,” he said, “and tell Her about your needs.”

Narendra goes a second time, and the same thing occurs. Again Sri Ramakrishna sends him back. He goes a third time.

… but on entering the temple a terrible shame overpowered me. I thought, “What a trifle I have come to pray to the Mother about!” In shame and remorse I bowed to Her respectfully and said, “Mother, I want nothing but knowledge and devotion.”

And so Narendra Nath came to know the Divine Mother, and the power of his Master. Later Sri Ramakrishna promised Narendra that his family would never be without plain food and clothing. The promise proved true, and now Narendra had more and more time to spend with him. These were the final years of the Master’s and disciple’s relationship, which was to reach in intensity described by those who observed it as “divine”. Sri Ramakrishna left his body when Narendra was only 23 years old.

Shortly before his passing, Sri Ramakrishna had called Narendra to his bedside, and then entered into deep meditation. Narendra felt that a subtle force resembling and electric current was entering his body. When the Master regained knowledge of the outer world, he said to him, “O Naren, today I have given you everything I possess – now I am no more than a fakir, a penniless beggar. By the powers I have transmitted to you, you will accomplish great things in the world, and not until then will you return to the source whence you have come.”

After the passing of the Master on August 16, 1886, Narendra and the band of young disciples found themselves with no means of support if they wished to continue their life together as seekers. Their one asset was their burning aspiration to realize God and to spread the Master’s words.

The young men took the vows of sannyasa and started a Math under extremely difficult conditions, bravely undergoing many privations. Narendra was their inspiration and their guide.

But Narendra longed for the peace of solitude. He also wanted to teach his brother monks not to depend upon him. One day he slipped away from the Math, alone and on foot, and became a wandering sannyasin. He traveled extensively in India from the Himalayan glaciers to the lands’ end at Cape Comorin in the South. In central India he lived with a family of outcast sweepers and amidst them he found spiritual treasures, while their misery choked him. Absorbed within himself, he was a seething cauldron with “a soul on fire”. “I feel a mighty power!” he wrote during this time. “It is as if I were to blaze forth. There are so many powers in me~ It seems to me as if I could revolutionize the world…”
After a fierce inner struggle to integrate his intellect, his fiery spirit and his inherent spirituality, the two-fold mission of this man of destiny – namely, the quest for God and service to mankind – was to crystallize into a progressive action. On May 31, 1893, with the new name of Swami Vivekananda, he sailed from Bombay for the first World Parliament of Religions in Chicago, USA. He was 30 years old and an unaccredited delegate among the many religious leaders from numerous faiths and sects from all parts of the world. Nevertheless, Swami Vivekananda captured the centre of the stage of the Parliament. His magnetic presence brought people cheering to their feet as he began his first address: “Brothers and sisters of America…” The New York Herald had this to say: “He is undoubtedly the greatest figure in the Parliament of Religions.”

After the Parliament, he toured the United States and visited England, Europe, China and Japan. He won many followers, a good number of whom came to be with him in India. He made a second trip abroad in 1899. But his strenuous schedules ever since his days as a wandering sannyasin had affected his health adversely. He began to feel that his mission on earth was drawing to a close, and his last year was spent in the Math at Belur. On July 4, 1902, Swami Vivekananda went to his room, lay down, and quietly left his body. He was 39 years old.

Four years earlier, on another fourth of July, Swami Vivekananda had written a poem dedicated to that date which for him represented liberty; liberty of life and of spirit. Reading it now, one cannot but feel that Swami Vivekananda in some way embodied Liberty in its highest sense:

To the fourth of July
Behold the dark clouds melt away
That gathered thick at night and hung
Like a gloomy pall above the earth!
Before thy magic touch the world
Awakes…
All hail to thee, thou lord of light!
A welcome new to thee today
O sun! Today thou sheddest liberty!
Bethink thee how the world did wait
And search for thee, through time and clime!
Move on O lord, in thy resistless path,
Till thy high noon o’erspreads the world,
Till every land reflects thy light,
Till men and women, with uplifted head,
Behold their shackles broken and know
In springing joy their life renewed!

Swami Vivekananda’s life corresponded to a time in the earth’s history when men and women throughout the world began to ask for a wider vision of life, a more comprehensive vision that would harmonise the diverse claims of science and spirituality. His burning quest to join together knowledge, devotion and action was indeed unique, and his numerous speeches and letters bear witness to this.

Kireet Joshi