Saturday, January 30, 2010

સોનાનાં ઓજાર - પન્ના લાલ પટેલ


કાશી નગરીમાં એક મોચી રહેતો હતો,તે બJustify Fullહુ પ્રમાણિત હતો.. સંતોષી પણ એટલો જ . એક વાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યોઃ . મોચી ભગત ! મારા પગના પગરખાનુ શું પડે ?

મોચીએ કહયું મારી પાસે સીવેલાંદ તૈયાર નથી, મહારાજ. સાધુ કહે સીવી દોતો શું લો ?"

મોચીએ કહયું દોઠ રૂપિયો.' સાધુંને નવાઇ લાગી. બીજાઓએ બે રૂપિયા દેખાડયા હતા. પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યાન હતા. પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહયો.સાધુએ પૂછયું :" દોઠ તો કહેવાનો પણ લેવાના કેટલા પૈસા ?

મોચી સાધુ સામે જોઇ હસવા લાગ્યોૂ. તેણે કહયું જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઇચ્છા હોય તો બનાવુ.

સાધુએ કહયું અચ્છાો બનાવો, કયારે આપશો ?'

મોચી બોલ્યો પરમ દિવસે આજ વખતે.' સાધુ કહે, જરૂર હોં ! મારે પરમ દિવસે સાંજે જવુ છે, માટે ભૂલ ન થાય'. મોચી કહેઃ' કહે જાઓ કે ન જાઓ ! પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે '. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિસ્વાૂસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાંણ.આંટો માર્યો. મોચીને પૂછ્યું: 'મોચી બ હગત, કેટલે આવ્યું આપણું કામ?'

મોચીએ કહ્યું:'બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું' છતાંય સાધુને શાંતિ ન વળી, ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો: સઇની સવાર અને મોચીની સાંજ! લાવ ને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું:'મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ.' સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યો ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતાં. આ જોઇને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયો. તે સમજી ગયો: મોચી સચે સાચો ભક્ત છે. તે કદી જૂઠું બોલતો નથી.

સાધુએ તેને બે રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઇને ઊભો થયો. તેણે સાધુને કહ્યું:'જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચૂરણ લઇ આવું.' સાધુએ કહ્યું:' રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો.' મોચીએ કહ્યું: 'હું તમકુ પીતો નથી, મહારાજ.' 'તો આપણા તરફથી ખાસડાં સીવવા દોરી લાવજો.' 'ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે.' તે સામેની દુકાને પરચૂરણ લેવા ગયો. સાધુ તો મોચીની આ ભાવના જોઇને એના ઉપર ખૂબ જ ખુશ થયો. તેણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણિ કાઢ્યો. કોઇ જુએ નહિ એ રીતે મોચીનાં ઓજારોને પારસમણિ ઘસી દીધો. બધા ઓજાર સોનાનાં થઇ ગયાં. પછી મોચી સામે પગ ઉપાડ્યો. તેની પાસે બાકીના પૈસા લઇને બરોબાર ચાલતો થયો. દુકાન ઉપર આવી મોચીએ જોયું તો ઓજાર બધાં સોનાનાં, તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનુ છે. મોચીનો જીવ બળી ઊઠયો. તે નિસાસો નાખી બબડયો "અરે ભગવાન! હવે હું આ સોનાનાં ઓજારોથી કેવી રીતે કામ કરીશ, તેણે ઓજારો લઇને ઘરના ખૂણામાં નાંખ્યામ. પછી ઊંચે મૂકેલા ધસાયેલા ઓજાર ઉતારી વળી પાછો કામે વર્યો. હવે તેણે કાન પકટયો કોઇ દિવસ આ બેઠાખાઉ લોકોનો ભરોસો કરવો નહી.

બીચારાએ બાર મહિના મજૂરી કરી ત્યાહરે માંડ માંડ જવા ઓજાર વસાવી શકયો.
એક વાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો. ત્યાંઇ એના કાને કોઇકનો અવાજ પડયોઃ 'કેમ છો મોચી ભગત ?'

મોચીએ જોયું તો પેલોજ સાધુ હતો. તેણે સાધુને કહયું: 'ઓજાર બગાડી ગયા હતા એજ ને તમે, હા મહારાજ.' સાધુને નવાઇ લાગી એને તો હતું કે પોતાને ઓળખતાં જ મોચી ભગત પગે પડશે. માનપાન કરશે ને ઘણો ઘણો આભાર માનશે. પણ એના બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડયોઃ આ બીચારો સોનાને પિત્તશળ ધારી બેઠો છે. તેણે કહયું: 'મોચી ભગત, ઓજાર બગડયાં નથી, સોનાનાં બનાવ્યાં છે. કયાં છે એ ? નાખી તો નથી દીધાને ?'

'મને ખબર છે મહારાજ , સોનાનાં છે. પણ એ સોનું મેં મારા બાવડાંના બળથી મેં ઓછું મેળવ્યું છે. ?
આવું મફતનું સોનું શું કરવું છે.? એ પડયાં ખૂણામાં તમારે જોઇએ તો લઇ જાઓ! સાધુએ મોચીને શિખામણ આપતાં કહયું: 'મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો, બેઠાં બેઠાં ખાઓ અને લહેર ઉડાવો.' મોચીએ પૂછયું:' ભગવાને આ હાથ પગ આપ્યાો છે એને શું કરું, મહારાજ ?

સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહયો. મોચીએ કહયું: 'સાધુ મહારાજ ભગવાને હાથ-પગ કંઇ બેઠાં બઠાં ખાવા માટે નથી આપ્યાર. કામ કરવા આપ્યા છે. આવી શિખામણ બીજાકોઇને આપતા નહી, નહિ તો મારાં તો તમે ઓજાર બગાડયા પણ બીજાના તો અવતાર બગાડી આપશો. માણસ કઇ ઢોર નથી કે બેઠાં બેઠાં ખાય ને બીજાની કમાઇ ઉપર જીવે.' આ સાંભળી સાધુ ખૂબ શરમાઇ ગયો. નીચા મોંએ બોલ્યોઃર 'મોચી ભગત! સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ-પગ આપ્યાૂ છે. હવેથી હું પણ હાથે કમાઇને ખાઇશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ.