Saturday, January 30, 2010

અગ્રલેખ - બાળકો અને શિક્ષકો

આજનાં આપણાં બાળકો ખરેખર ભિન્ન છે,- ઘણી રીતે આપણાં કરતાં ચડિયાતાં છે. એટલે જ તો ઘણીવખત આપણે તેમને સમજવામાં ભૂલ કરી બેસીએ છીએ. શિક્ષકો પણ તેમની ગેરસમજૂતીને કારણે સાચું, સારી રીતે અને યોગ્યર સમયે જે માર્ગદર્શન આપવું જોઇએ તે આપી શકતા નથી. આજનાં બાળકો ભવિષ્યં-પરક છે. આપણો આખો યુગ ભવિષ્યી તરફ જઇ રહયો છે, અને એ યુગની આંતરિક ધારા આપણાં બાળકો વધારે ઝડપથી પકડી શકે છે, એટલે આપણે એમને ખૂબ આગળ દોડતાં જોઈ શકીએ, જો – આપણે પોતે જ વધારે ને વધારે ભવિષ્યપરક થઈ શકીએ, તો. બીજું આપણાં બાળકો વધારે અને વધારે સર્વગ્રાહી થઈ રહયા છે, વધારે ને વધારે સામગ્રિક અને વૈશ્વિક થઈ રહયાં છે. આ ઉપરાંત, આપણે જાણીએ છીએ કે આપણાં બાળકો મૈત્રીના સદગુણને વધારે મહત્વ્ આપે છે. આજ્ઞાંકિત ઓછાં હોય, પરંતુ મિત્રો માટે સહકારની ભાવનાના અધિકારોને અનુરૂપ કર્તવ્યો તરફ વધારે વફાદારી દર્શાવે છે. જે માતા-પિતાની આજ્ઞાથી ન થઈ શકે તે મૈત્રીના અધિકારને માન આપીને થઈ શકે છે. નિઃશંકપણે, આજનાં બાળકો કૌટુંબિક અને સામાજિક સંજોગોને વધારે નિષ્પરક્ષપાત દ્રષ્ટિણથી જોઈ શકે છે, અને જડ રીતિરિવાજોને અને પક્ષપાતી વિચારધારાઓના કલેશ તરફ અત્યંત અણગમો પ્રદર્શિત કરે છે. આજનાં બાળકો વિજ્ઞાનની વિજયકૂચ આશ્ચ ર્યવત્ જોઈ રહયાં છે, અને નવી નવી શોધખોળો આપણે કરી શકીએ તેની તત્પૂરતા તેમનાં અંતર હૃદયમાં રમી રહી છે. આજના માતા-પિતા, આજના વાલીઓ અને આજના શિક્ષકોને જે ખરેખરી મુશ્કેાલી પડે છે તે આ સંદર્ભમાં પડતી હોય તેમ લાગે છે. આજનાં બાળકોનાં મનમાં એક પ્રશ્નળ રમતો હોય છેઃ ‘‘આમાં નવું શું છે?‘‘ અને આપણે આ પ્રશ્નમનો જવાબ આપી શકતા નથી. ભવિષ્ય ના દિવસોમાં આ પ્રશ્નખ વધારે ને વધારે ઉત્કમટ બનવાનો છે. અને આ સંદર્ભમાં ચિલ્ડ્રન્સા યુનિવર્સિટીની જે એક અનન્યા સેવા આપવાની રહેશે તે આ છે કે આ યુનિવર્સિટી ધ્વાચરા આજના માતા-પિતાને, આજના વાલીઓને અને આજના શિક્ષકોને એ જાતની ક્ષમતા વિષે માર્ગદર્શન આપી શકીએ કે જેથી બાળકો સમક્ષ નવી નવી ક્ષિતિજો ઉઘડતી રહે, નવી નવી વાર્તાઓ મળતી રહે, નવી નવી આશાઓ બંધાતી રહે, નવાં નવાં સ્વરપ્નોા ઘેરાતાં રહે, અને નવી નવી સિધ્ધિ ઓ જોવાઈ રહે. આ વિષય પ્રત્યેવ આખા સમાજને જાગૃત બનવાનું રહેશે. આ જાગૃતિના સર્જનમાં શિક્ષકોની મુખ્યષ ભૂમિકા રહેશે. એટલે જ શિક્ષકોને પણ નવી પ્રકારની તાલીમ મળી રહે એ બહુ જ અગત્યપનું છે. આજે આપણા ભારતનો પુનર્જન્મ્ થઈ રહયો છે. એ પુનર્જન્મશને સમજવા માટે ભારતનો સાચો ઈતિહાસ એવી રીતે આપવાની જરુર છે કે જેથી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ, આજની વિદ્યાર્થિનીઓ આ પુનર્જન્મનને સમજી શકે અને એ પુનર્જન્મભમાં જે નવાં તત્વો આપણે આપવાનાં રહેશે તેમાં તેઓ ભાગીદાર બની શકે.
નવભારત, નવયૌવન અને નવયુગ – આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. આ સાંકળમાં બાળકો અને શિક્ષકો એવી રીતે ઓતપ્રોત થવાં જોઇએ કે જેથી આપણે ભારતના પુનર્જન્મકને સાર્થક કરી શકીએ અને એક નવી દુનિયા જેને વસાવવાની આપણે લગભગ એક સદીથી વાત કરીએ છીએ તેને સાચી રીતે સાકાર કરી શકીએ. ચાલો, આપણે બાળકોને અને શિક્ષકોને માટે આપણે સમાજમાં એવા કાર્યક્રમો ગોઠવીએ કે જેથી આપણે બાળકોને હંમેશા તાજો જવાબ આપી શકીએ કેઃ‘‘આમાં નવું શું છે?‘‘

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રીમતી જયંતી એસ. રવિ
ર૭-૦૧-ર૦૧૦